SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગનુસારિના પાંત્રીસ ગુણો. (૩૨) કામ છે? અતિ સ્વચ્છ વસ્ત્રોથી પણ શું? કવિઓ કહે છે કે, પુનમના ચંદ્રથી ઝરતા અમૃતની ઉપમાવાળી યથાર્થ વચનવર્ગણ એજ પુરૂ ને અખંડિત આભૂષણ છે, એમ અમે માનીએ છીએ, ઈત્યાદિક લા ધર્મશ્રવણથી છે. સોળમે ગુણ “મની મોનના જાટ માં ૨ સામ્યતા,અજીર્ણમાં ભેજન નહિ કરનાર તથા અવસરે પ્રકુતિને અનુકૂળ આહાર લેનાર સદા સુખી રહે છે. સુખી પુરૂષ ધર્મસાધન કરી શકે છે, તે જ કારણથી વ્યવહાર નયને આશ્રય લઈ કેટલાક કહે છે કે શારીરમાર્થ રયુ ધર્મસાધનમાં વસ્તુ સ્થિતિ અને નુસાર તે આ પ્રમાણે કહેવું ઉચિત છે કે, શરીરમાઘ વહુ પાપાધાણા અર્થાત્ શરીર પ્રથમ પાપનું કારણ છે. જેને શરીર નથી તેને પાપને બંધ નથી. જુઓ સિદ્ધ ભગવાન અશરીરી હેવાથી પાપને બંધ નથી. શરીર પાપનું કારણ છે, પાપ શરીરનું કારણ છે. જ્યાં શરીર નથી ત્યાં પાપ નથી; અને જ્યાં પાપ નથી ત્યાં શરીર નથી. આમ અવયવ્યતિરેક વ્યક્તિ છે. છતાં વ્યવહારદષ્ટિને લઈ શરીરને પ્રથમ ધર્મનું સાધન માનેલ છે, માટે અજીર્ણમાં ભેજનનો ત્યાગ બતાવેલ છે. વૈદકશાસ્ત્રમાં લખેલ છે કેઃ-ગળામવા રોજ સમસ્ત રે અજીર્ણથી થાય છે. અહીં કેઈ કહેશે કે, કેટલેક ઠેકાણે ઘાસચામવા માટે ધાતુના ક્ષયથી રોગે ઉદ્દભવે છે એમ કહે છે તે કયું વાકય માનવું? - આ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે, ધાતુક્ષય પણ અજીર્ણથી થાય છે. જે અન્નાદિ ખેરાકની સંપૂર્ણ પરિપાકદશા બરાબર હેય તે કદાપિ ધાતુક્ષય થાય નહિ. ગમે તે પરિશ્રમ કરે પણ જરા પણું શરીરની નિર્બળતાને ડર રાખવાને નથી. અજીર્ણ જાણ્યા બાદ લાલચથી જે જે ભજન કરે છે તે સ્વશરીરને નષ્ટ કરે છે. અજીર્ણ જાણવા માટે નીચે લખેલ લેક અર્થ સહિત કંઠ રાખવે– मलवातयोगिन्धो विड्भेदो गात्रगौरवमरुच्यम् । વિકૃતોદ્વારા ઘરની વ્યક્ટિનિ શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy