SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતની શ્રેષ્ઠતા. (૩૦૭) wwwwwwwwwwwwwwwwwaarna કવર્તીપણું, (૧) દેવપણું, ઇન્દ્ર તુલ્ય ઋદ્ધિવાળા સામાનિક દેવપણે ઉત્પન્ન થવું, ખાસ ઈન્દ્રપણું, નવરૈવેયક તથા સર્વાર્થ સિદ્ધપણું, સિદ્ધપણું, તેમજ તીર્થંકર પદ રૂપ તમામ ફળે. વ્રતનાં જ છે. ૨, એક દિવસ ફકત મેહ રહિતપણે યથાવિધિ પ્રવજ્યા રૂપ વ્રતનું પરિપાલન કરનાર, જે કદાચ મેક્ષ ન મેળવે તે પણ અવશ્ય વૈમાનિક દેવ તો થાય જ છે. ૩. જેવી રીતે મંત્ર, તત્ર, યંત્ર, ઔષધ, શુકન વિગેરે પ્રતાપી પદાર્થો, વિધિ યુક્ત સેવન કરવામાં આવે તે, ફલને આપનારા થાય છે, તેવી જ રીતે પ્રવજ્યા કે જેનાં દીક્ષા, સંયમ, વ્રત ગ. સંન્યાસ વિગેરે પર્યાયવાચી શબ્દ છે તે પદાર્થનું પણ જે વિધિ સહિત સેવન થાય તે જ પૂર્વોક્ત ફલ આપનાર થાય, અન્યથા વિપરીત ફળને દેનાર થાય છે. પ્રત્રજ્યાના અધિકારી જીવનમાં ક્ષાતિની પ્રથમ આવશ્યક્તા છે. શનિ હોય તે પ્રવજ્યાનું પાલન પોષણ બરાબર થઈ શકે છે. ક્ષાન્તિના અભાવમાં સમસ્ત ગુણોને પણ અભાવ સમજે, તેમજ તેના અસ્તિત્વથી સમગ્ર ગુણરૂપ રત્નનું રક્ષણ થઈ શકે છે. ગુણરત્નનું રક્ષણ કરવા માટે ક્ષાન્તિ એક મંજૂષા તુલ્ય છે. ક્ષમા રહિત સાધુ ચાહે સકલ શાસ્ત્રને વેત્તા હોય છતાં લેકે પકાર તેમજ સ્વકલ્યાણ કરી શકે નહિ. આ વાત જગજાહેર છે, આ બાલ વૃદ્ધ, અનુભવ પ્રમાણથી તેને પ્રત્યક્ષ જાણે છે તેથી તે વિશે વિસ્તારથી નહિ લખતાં ક્ષાતિ સમસ્ત ગુણેને ભંડાર છે, તે બાબત છેડાએક શ્લેકે વાચકને અર્પણ કરું છું शान्तिरेव महादानं शान्तिरेव महातपः । क्षान्तिरेव महाज्ञानं शान्तिरेव महादमः ॥१॥ शान्तिरेव महाशीलं क्षान्तिरेव महाकुलम् ।। शान्तिरेव महावोर्य शान्तिरेव पराक्रमः ॥॥ शान्तिरेव च संतोषः क्षान्तिरिन्द्रियनिग्रहः। शान्तिरेव महाशौचं क्षान्तिरेव महादया ॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy