SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વભાવના. (૬૭) તેથી સંસારમાં શુભ અથવા અશુભ કાર્ય કરતા જીવ એકલા જ અત્યન્ત ભ્રમણ કરે છે, તેમજ પાતે કરેલા કર્મ અનુસાર ગુભા શુભ ફળને એકલા જ ભેગવે છે. ૮. બળી જીવ, શુભ ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા થવાથી અતિ ઉત્તમ માક્ષ લક્ષ્મીને એકલે જ મેળવે છે. મેાક્ષમાં સર્વ સ અધના અભાવ હાવાથી ત્યાં પણ બીજા કોઈની સાથે સબંધ થવાના સ’ભવ નથી. ૯. સ'સાર સંબ ંધી જે દુ:ખ છે, તેમજ મેાક્ષ સબંધી જે સુખ છે તે પશુ જીવ એકલેા જ ભાગવે છે. તેને વિષે કાઇ મદદગાર અથવા ભાગીદાર નથી. ૧૦. અંધન રહિત પુરૂષ તરતા છતે તત્કાળ સમુદ્રના પાર પ્રત્યે પહોંચે છે, પરંતુ હૃદય પર તેમજ હાથ પગમાં ખાજાવાળા માણસ પાર પામી શકે નહિ. ૧૧. તેજ પ્રમાણે ધન દેહાદિ પરિગ્રહથી પરાર્મુખ થએલા એટલે ભાર રહિત થએલા એકલે પુરૂષ સોંસાર સમુદ્રના પાર પામી શકે છે. ૧૨. તેટલા સારૂ સાંસારિક સબંધને છેડી એકલા સત્પુરૂષે, જેમાં અનશ્વર, અનન્ત, અનુપમેય, અવ્યાબાધ સુખ રહેલું છે, એવા મે ક્ષને માટે યત કરવા જોઇએ. ૧૩, વિવેચનઃ ઉપર કહેલા તેર શ્લોકેા આત્મકલ્યાણાભિલાષી ન વરાએ હંમેશાં સ્વનામની માફ્ક કંઠસ્થ રાખવા લાયક છે, આ શ્લાકામાં એકત્વ ભાવનાનુ સ્પષ્ટ રીતે ભાન કરાવેલ છે. જ્યાંસુધી પ્રા એિના અંતઃકરણમાં એકત્વભાવના રૂપ અંકુર ઉત્પન્ન થતે નથી, ત્યાંસુધી ચાર ગતિના સભ્યાંધ કટે તેને સહન કરવાં પડે છે. ચારે ગતિની અ ંદર રહેલા કોઇપણ જીવાને વાસ્તવિક સુખ નથી, માત્ર સુખાભાસ છે, છતાં જીવા વિષ્ટાના કીડાની માફ્ક તેમાં સુખ માની બેઠેલ છે. જુએ ચાર ગતિમાં વિચિત્ર પ્રકારનાં દુ:ખ સૂચક શ્લોકા હવે પછી રજુ કરૂ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy