SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે, પરંતુ વાસ્તવિક સુખ કે અપૂર્વ આનંદને કોણ ભગવે છે? તેને માટે એક ક યાદ રાખો. કહ્યું છે કે न चेन्द्रस्य सुखं किञ्चिन सुखं चक्रवर्तिनः। सुखमास्ति विरक्तस्य मुनेरेकान्तजीविनः ॥ १॥ માટે આવી અવસ્થાને પ્રાપ્ત કરી અપૂર્વ સુખના ભાગી બને.” પ્રસંગ અનુકૂળ સમજી વૈરાગ્યેત્સાહી - ક્ષા લેવાની ઉત્કંઠાવાળા વિદ્યાથીઓએ સમય જોઈને મહાજશ્રીને દીક્ષા આપવા અરજ કરી. અને તેઓશ્રીએ તેમને ઉત્સાહ તથા લાગણી જોઈ ચત્ર વદી ૫ નારોજ પાંચ જણને દીક્ષા આપી. તેમના નામ અનુક્રમે સિંહવિ. જયજી, ગુણવિજયજી, વિદ્યાવિજયજી, મહેન્દ્રવિજયજી તથા ન્યાયવિજયજી રાખવામાં આવ્યાં. આ પ્રસંગે કલકત્તાના સંઘે દશ હજાર રૂ. જેટલે ખર્ચ કરી જૈન શાસનની મહત્તાદર્શક અનેક ક્રિયાયુક્ત મહત્સવ કર્યો. મહારાજશ્રીની સાથે અત્યાર સુધીમાં મુનિ ઈન્દ્રવિજયજી, મંગવિજયજી, ભક્તિવિજયજી, ચારિત્રવિજયજી આદિ સાધુ સમુદાય હતું. તેમાં ઉપર્યુક્ત ઉમેરે થવાથી ઉપદેશક મંડળમાં અભિવૃદ્ધિ થતાં જનસમાજને જૈન તત્વ સમજાવવામાં ઓર જ્યાદે અનુકૂળતા થવા પામી અને તેને લાભ તુર્ત દૃષ્ટિગોચર થતાં એક નજ વિચાર થયો. બેલે તેના બોર વેચાય” એ સામાન્ય કહેવતની કિમતને વિચાર કરતાં સહજ જોવાઈ શકાયું કે “આવા વિશાળ હિંસક પ્રદેશમાં ઉપદેશ મળવાથી જનસમાજ કેળવાય છે. લાંબા વખતના હિંસક પરિચય માટે તેટલાજ લાંબા સમય સુધી જીવદયાના ઉપદેશને ફેલાવો શરૂ રહેવા અને આ વિશાળ પ્રદેશમાં પહોંચી વળવાને આટલે સમુદાય પુરતું નથી અને તેથી તેવા ઉપદેશકે તૈયાર કરવા જરૂર છે. તે માટે શાંત સ્થળ પસંદ કરી ત્યાં અનુકૂળતા પુરતા સે પચાસ બાળકને રેકી જૈન તત્ત્વને અભ્યાસ કરાવીને તેવા ગુરૂ કુળમાંથી સમર્થ ઉપદેશકે ઉતા કરવા જરૂર છે. આ પ્રમાણે વિચાર કરી બેસી ન રહેતાં કાયસિદ્ધિ કરવી તે મહારાજશ્રીનું મુખ્ય [ 24 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy