SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) ધર્મદેશના, ફાળે ચડેલ હેવું જોઈએ. નામ માત્ર ગરમ કરેલ જળ અહીં સમજવું નહિ; અથવા તે રાત્રીએ ચૂલા ઉપર રાખેલું પાણી સવારે પીવું તેમ પણ નહિ. સાયન્સવેત્તાઓ પણ જળમાં અમુક ડીગ્રી તાપલાગે, ત્યારે તેને નિર્જીવ માને છે. સૂત્રકારને આશય યથાર્થ સમજીને ધુરં ધરાચાર્યોએ ટીકા દ્વારા તેને પ્રકાશિત કર્યો છે, તે જ કારણથી ટીકાકારેને પણ ભગવાનની ઉપમા આપેલ છે. છતાં અફસેસને સમય છે કે કેટલાએક અગુરૂકુલસેવી જને, સૂના સ્વમિત કલ્પિત અર્થ કરી સ્વપરને દેષિત કરવા પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેમ નહિ કરતાં આ ત્માથી પુરૂએ સત્યની શોધ કરવી વાજબી છે. ખ્યાલ કરવાની જરૂર છે કે સૂત્રની ટીકા બનાવનાર કોણ છે? વળી કેવા સમયમાં તે થએલ છે? કદાચ કઈ વાદની ખાતર કહે કે ટીકાકારે શિથિલાચારી હતા, તે તે પ્રશ્ન જરા પણ સાંભળવા લાયક એટલે કે ધ્યાન દેવા લાયક નથી. તથાપિ તુષ્યતુ તુ એ ન્યાય વડે ક્ષણ વાર માની પણ લઈએ, તે તરતજ એજ સવાલ ઉભું થાય છે કે શિથિલાચારી હોય તે તેઓ કદાપિ ત્રણ વાર ઉફાળે ચડેલ જળ પીવા સંબન્ધી કથન કરત નહિ. કેમકે પાણુને વધુ ગરમ કરવાથી તેને મૂળ સ્વભાવ ચાલે જાય છે, જ્યારે શિથિલાચારીઓ તે ભેગ સંગના અભિલાષી હોય છે. દેખે, નજર કરે કે સાંપ્રતકાળમાં જેઓ શિથિલાચારી છે તેઓ પ્રાયઃ ગરમ પાણી પીતા નથી. ઉલટા તેઓ તે સ્વચતુરાઈ કરી ગરમ પાણને દૂષિત કરવા તૈયાર થાય છે. એટલું જ કહેવું બસ થશે કેશીલાંગાચાર્ય જેવા ધુરન્ધર પુરૂષ ઉપર અસદ્દભૂત કલંકન આપતાં ભાઈઓ ! પિતાના કર્મને જ દેષ સમજે, કે જેને લીધે પૂર્વ પાપે. દયને પરિણામે તેવા સંગમાં પડી અભક્ષ્યને ભક્ષ્ય તથા અપેયને પેય માને છે. પરંતુ તેમ માનનાર ચારિત્ર પાત્ર ગણાય ખરા કે? આચાર્ય તીર્થકર તુલ્ય ગણાય છે, જેઓ સમ્યક્ પ્રકારે જિનમતના પ્રકાશક હોય છે, તેવા આચાર્યોનાં વચન સિવાય અન્ય કઈ ગતિ નથી. કારણ કે સૂત્રે અલ્પ છે, અને રેય અનન્ત છે. કેઈ પણ તીર્થ કરના સમયમાં સમગ્ર વાત સિદ્ધાન્તોમાં ગુંથાએલ નથી. સંવિરા અશફ ગીતાર્થની પ્રવૃત્તિ તથા આચરણ પણ માર્ગ પ્રકાશક છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy