SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ લંબાવ્યું. જૈન શબ્દને ઉજૈન શહેર સમજનાર લેકમાં જૈન મુનિના આકરા આચારનું જ્ઞાન કયાંથી જ હોઈ શકે ? સચેત-અચેત સુઝતું–અસુઝતું સમજવાને અભ્યાસ કેણુ બતાવે? ઉના પાણે, ઉચિત આહાર અને અનાથ આશ્રમને ચાલુ અભાવ રહેવા લાગ્યો. કઈ કઈ સ્થળે તે “જૈન” શબ્દ ઉપર અશ્રદ્ધાના સંસ્કારે વૈદિક ગ્રંથમાંથી પડેલા હતા ત્યાં “જેન” નામ સાંભળી વેર વાળવાના પ્રયોગ અજમાવવા તક શોધવામાં આવતી. મુસાફરીમાં સહગામી સમુદાય વીખરાઈ ત્રણ ત્રણ ઉપવાસે અનેક શેવળે ભુખ્યા તરસ્યા ભેટતા અને ખુશી થતા. આ સઘળા પરિસહ અને ઉપસર્ગો વચ્ચે પણ કેળવણીના મૂળ પાયાને થંભ આરોપણ કરવાના દઢ નિશ્ચય અને સાત્વિક લાગણીથી તેને સામાન્ય કસેટી સમજી સહન કરતાં છ મહીને ૧લ્પ૯ ના વૈશાખ શુદી ૩ (અક્ષય તૃતીયા) એ બનારસમાં પ્રવેશ કર્યો. કર્સટીમાંથી પસાર થવાને અંત આટલાથી આવ્યું નહોતે, માર્ગની મુસાફરીની વિડંબના સાધ્ય બિંદુક્ષેત્રમાં પહોંચવાના ભાવમાં ભુલાઈ જતી હતી. પરંતુ જે ક્ષેત્રમાં તેઓશ્રી પાઠશાળા ચાલુ રાખવા માંગતા હતા ત્યાં આવવા પછી સહજ જાણી શકાયું કે જ્યાં જેન” શબ્દ ઉપર પુરતું વેર છે, જ્યાં જીવહિંસા એ સામાન્ય પ્રથા છે અને જ્યાં જનસમાજનું લક્ષબીંદુ કેવળ વેદાંતમાં લીન હતું. આ સઘળા પ્રતિકુળ ગ વચ્ચે સ્થિર રહી જૈન કેમ્પ જમાવવો અને વિદ્યાથી મંડળને નિરાબાધ આગળ વધારવાને ઉદ્યમ કરે તે સહજ કામ ન હતું. મીઠું ભેજન સર્વ કેઈને ભાવે છે, વિવેક શત્રુ પણ મિત્ર થાય છે અને માયાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધાંત મહારાજશ્રીના લક્ષ બહાર નહેતે. જ્યાં સમગ્ર અન્યમતાવલંબી અને અભક્ષ્ય આહારી સમૂદાયને જજ છે, ત્યાં તેમના ચક્ષુ શાંતિથી ઉઘડાવવા જ વાસ્તવીક જણાયા અને તેથી શહેરમાં દાખલ થતાં ડાંસ મચ્છર અને ઝેરી જીવ-જંતુના અનેક ઉપદ્રવ્યથી યુક્ત જીણુ ધર્મ શાળાની ઝુંપડીમાં મળેલ સ્થાન સ્વીકારી અભ્યાસ શરૂ રાખવા સાથે [ 16 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy