SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકૂળ—પ્રતિકૂળ ઉપસ ( ૧૧૩ ) સારૂ શાસ્ત્રકારોએ વિરાગ પઢવી મેળવવામાં વિલંબ નહિ કરવાનુ સૂચવેલ છે. હવે કેટલાએક જના માતાપિતાદિના અનુકૂળ ઉપસર્ગ વડે પરાભવ પામી ધર્મ છોડે છે, તેના સમધમાં કહેવું છે કેઃ— अहिं मुच्छिया मोहं जंति नरा असंवुमा । विसमं विसमेहिं गाहिया ते पावेहिं पुणो पगन्निया. ॥२०॥ ભાવાર્થ:---અપ પરાક્રમ વાળા જીવા માતા પિતાકિ પરિવાર વડૅ ઉપદ્રવિત થએલ. છતાં મેહુ પામે છે. સમસ્ત પ્રકારની મર્યાદા રહિત અનીને ગૃહસ્થાવાસ અંગીકાર કરે છે, અને ગૃહસ્થાવાસમાં જઇ ફરીને ક્રૂર કર્મવડે કખ ધ કરે છે. અર્થાત્ ફરી જે અવસ્થા થાય છે તેની અન્દર પૂર્વાવસ્થા કરતાં વિશેષ ધીઢ અને છે. : વિવેચનઃ—ઊંચી ભૂમિ ઉપર ગએલ જે પુરૂષ પડે છે, તેને વિશેષ હાનિ થાય છે; અગ્યારમે ગુણુસ્થાનકે ગએલાના પાત પ્રથમ શુગુસ્થાનકે સ્થિર થાય છે. સંયમ ભાવથી પરિભ્રષ્ટ થએલ જીવ પ્રાયઃ શ્રાવકના વ્રતથી પણ પતિત થાય છે. લૈાકિક કહેવત છે કે, વટલેલ બ્રાહ્મણી, તરકડીમાંથી જાય ? તેમ પતિત જીવા વિશેષ ધીઠું અને છે, તેટલા સારૂ સાધુઓએ દૃઢ રહેવુ, એ પ્રકારને ઉપદેશ સૂત્રકાર નીચે મૂજબ આપે છેઃ - तम्हा दवि इक्ख पंरिए पावाओ विरतेनिनिव्वु । पण वीरे महाविहिं सिद्धिपहं नेत्र्यायं धुवं ॥ २१ ॥ ભાવાર્થ :-અનુકૂળ ઉપસ↑ કાયર પુરૂષોને ધર્મ ધ્યાનથી પરિભ્રષ્ટ કરનાર હોવાથી હું મુકિતગમન ચેગ્ય સાધે ! તુ તત્ત્વાતત્ત્વને વિચાર ક઼ર, સંસારસ્થ જીવા મહા કર્મ કરે છે, તે કર્મના વિપાક અતિ કટુ થાય છે તેને તુ જો, અને સ્વયં પાપથી શાંત થા, તથા પાપના કારણ જે પ્રાણાતિપાતાદિક આશ્રવે છે, તેનાથી તું નિવૃત્તિ કર, તેમજ સસદ્ વિચારમાં કુશળ થયા છતા કર્મ શત્રુના નાશ કરવા વીર ત્રત ધારણ કર, અને ચુકિત યુકત જે મુક્તિમાર્ગ છે તેમાં લીન થા, અર્થાત્ સદનુષ્ઠાનમાં તત્પર રહે, તેજ વાત આગલી ગાથાવડે બતાવેછેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy