SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ હતું-આગળ વધવાને ઉત્સાહી થવા માટે તે આશાનું કિરણ હતું--હૃદયના વિશ્વાસનું આશ્વાસન હતું. આટલાથી હવે તેઓશ્રીને ખાત્રી થઈ કે ગુરૂ ભક્તિ સાથેના સતત શ્રમથી સર્વ કંઈ સાથ થવું જ જોઈએ અને તેજ ઉત્સાહના અંકુર મહાન વૃક્ષરૂપે જેવાને આ પણે ભાગ્યશાળી થયા છીએ, તે કાર્ય કરનારના દ્રઢ વિશ્વાસ અને સતત શ્રમના ફળને પ્રત્યક્ષ પુરાવે છે. હવે તેઓશ્રીને વ્યાકરણમાં પ્રવેશ કરવા ઈચ્છા થઈ અને ગુરૂશ્રીને તે માટે અરજ કરી. લાંબે વખતે થેડી મુડી એકત્ર કરવાના. અનુભવથી સહચારી મંડળને આ માગશું હાસ્યરૂપ જણાઈ, પરંતુ ગુરૂશ્રી સમજતા હતા કે “સતત લાગણીથી અપાશે પણ શ્રમ કરનાર આત્મવાદીઓથી સર્જાશે આગળ નીકળે છે. તેથી તેમણે સારસ્વત વ્યાકરણને અભ્યાસ શરૂ કરાવવા જના કરી આપી, અને ધારવા પ્રમાણે વખતના વહેવા સાથે આપણે વિષયના નાયક શાસાભ્યાસમાં પણ આગળ વધી ગયા. વાંચન અને મનન સાથે તેઓ વખતેવખત ગુરૂસેવામાં રોકાતા, તે વખતે તેમના મેંએથી ઉપદેશામૃત શ્રવણ કરવા સાથે ગુરૂશ્રી પાસે કઈ શાસ્ત્રવાદ કરવા આવતું તે કાળજીથી સાંભળતા-વ્યાખ્યાનના પ્રસંગે લક્ષપૂર્વક ઉપદેશ શેલી હૃદયમાં ઉતારતા અને પિતાને થતા તકનું સમાધાન કરી લેતા. આ રીતે બેવડા અભ્યાસથી તેમની શક્તિ હવે તેજસ્વી થવા લાગી, તેટલામાં સં. ૧લ્હ૮ માં ગુરૂશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને અકરમત છાતીના દુખાવાને વ્યાધિ શરૂ થયે. પ્રસંગોપાત કહેવું જેઈએ કે આ વ્યાધિ પૂર્વે ચાર વર્ષથી ગુરૂશ્રીને વા અને સંગ્રણીને વ્યાધિ શરૂ હતું. તેમાં આ ઉમેરે થવાથી સર્વના ચિત્તને ચિંતા થવા લાગી, ગુરૂશ્રીની શક્તિ ક્ષીણ થતી જોઈ તેઓ માટે વખત તેમની સેવામાં રહેવા લાગ્યા અને ગુરૂપ્રેમ એટલે તે જીતી લીધું કે તેમના અભ્યાસ, ગુણ અને શક્તિથી ખુશી થઈ પિતાના નજીકના મંડળને જણાવ્યું કે “ધર્મ વિજયજીને પન્યાસ પદવી આપ.” આ શબ્દોની કિંમત જ તેમના અભ્યાસની કસોટી માટે પસાર થવા [ 9 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy