SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ આત્માની શક્તિઓના ક્રમિક વિકાસને ગુરુસ્થાન કહે છે. જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દની મતલબ આત્મિક શક્તિના આવિર્ભાવ અર્થાત્ એનું શુદ્ધ કાર્ય રૂપમાં પરિણત રહેવાની તરતમ ભાવવાળી અવસ્થાઓ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના યા પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્માની ઉપર ઘન વાદળાની જેમ તીવ્ર આવરણની ઘટા છવાએલી હાય છે ત્યાં સુધી એનું અસલી સ્વરૂપ દેખા દેતું નથી, કિન્તુ આવરા ક્રમશઃ શિથિલ ચા નષ્ટ થયે જ એનું અસલી સ્વરૂપ પ્રગટ થાય છે. આવરણાની તીવ્રતા જ્યાં સુધી આખરી હદની હાય છે ત્યાં સુધી આત્મા પ્રાથમિક અવિકસિત અવસ્થામાં હાય છે અને જ્યારે આવરણુ ખીલ્કુલ નષ્ટ થાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થા-શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તમાન હાય છે. જેમ જેમ આવરણેાની તીવ્રતા કમ હેાય છે, તેમ તેમ આત્મા પ્રાથમિક અવસ્થાને ાડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપના લાભ પ્રાપ્ત કરતા ચરમ અવસ્થા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાની વચમાં અને અનેક નીચી-ઊંચી અવસ્થાઓને અનુભવ કરવા પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અવસ્થા અથવા અધઃપતનની પરાકાષ્ઠા અને છેલ્લી અવસ્થાને વિકાસ યા ઉત્ક્રાન્તિની પરાકાષ્ઠા સમજવી જોઈએ. આ વિકાસક્રમની મધ્યવતિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ યા નીચ પણ કહી શકાય છે. અર્થાત્ મધ્યવતિની કાઈ પણ અવસ્થા ઉપરવાળી અવસ્થાની Jain Education International For Private & Personal Use Only [ ૭૩ www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy