SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૭ સાત નયની દૃષ્ટાંતરૂપે પારમાર્થિક ઘટના કોઈ પણ વસ્તુની યથાર્થ પરીક્ષા કરવામાં નયઘટના કરી શકાય છે. ઈતર અંશને અપલાપ કે પ્રતિક્ષેપ કર્યા વિના વસ્તુના કોઈ એક સદંશનું ગ્રહણ કરે, તે અપેક્ષાવિશેષનું નામ “નય એમ તેની શાસ્ત્રીય વ્યાખ્યા છે, અથવા વ્યુત્પત્તિથી જોઈએ તે “' ધાતુ દેરી જવું-લઈ જવું, તે પરથી નય એટલે આગળ ને આગળ વસ્તુસ્વરૂપ ભણી દેરી જાય-લઈ જાય તે નય અથવા નય એટલે નીતિ-ન્યાય એમ સામાન્ય પરિભાષા છે. અર્થાત્ પ્રમાણપુરસ્પર સન્યાયસંપન્ન કથન તે નય અને શ્રી જિનપ્રણીત નય પણ સન્યાયસંપન્ન ન્યાયાધીશની જેમ મધ્યસ્થ પરીક્ષા કરનારો હેઈ તેને નય નામ યથાર્થ પણે ઘટે છે. એટલે નયને પ્રાગ પરમાર્થ સમજવા માટે અને પામવા માટે જરૂર કરી શકાય. અર્થાત્ આત્મશ્રદ્ધાના અનુમાપનમાં, પરમાર્થ પ્રાપ્તિના ઉપક્રમમાં, ભક્તિવિષયમાં કે ચરણસેવા આદિ વિષયમાં તેની યથાર્થ અર્થઘટન કરી શકાય અને તે પ્રમાણે શ્રી દેવચંદ્રજી આદિ મહાત્માઓએ કરેલ છે, માટે એમ કરવામાં કોઈ દૂષણ કે વિરોધ જેવું નથી, એટલું જ નહિ પણ આત્માર્થી મુમુક્ષુને પરમાર્થ સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે. સાત નમાંથી પ્રથમના ત્રણ ન બાહ્ય નિમિત્ત સાધન છે અને પછીના ચાર ના અંતર (ઉપાદાન) સાધન છે. તેને ચટકે નથી કરી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy