________________
૨૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
ઘેાડા લાલ છે, ઊંચા છે કે અમુક આકારના છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ઘેાડા ભાસમાન છતાં તે માત્ર ગૌણુ હાય છે અને તેની વિશેષતાઆ જે શ્રીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય ડાય છે. તેથી જ એ વખતે જ્ઞાનના વિષય અનતે ઘેાડા અમુક અંશ વિશિષ્ઠ વિષય અને છે. એ જ વિષયના નય થવાની રીત છે.
આ વક્તવ્યને બીજા શબ્દોમાં-ટ્રકમાં એ રીતે પણ કહી શકાય કે-ભાનમાં અમુક વિશેષતાઓ છતાં, પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણના વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય–વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હાવાથી પ્રમાણ અને નયમાં તેના વિષયભેદ સ્પષ્ટ છે. પ્ર૦-પ્રમાણની પેઠે નય પણ જો જ્ઞાન જ હાય તા એમાં તફાવત શે!?
ઉઇન્દ્રિયાની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કેાઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે, ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા ખીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારક્રિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે (વચન) ક્રિયા તે નય અને એના પુરોગામી (જ્ઞાન)-વ્યાપાર તે પ્રમાણુ. આ ઉપરાંત નય અને પ્રમાણુનું અંતર એક એ છે કેન્વય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org