________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૫૯
છે, અને હુંમેશને માટે અવિનાશી એવા મેાક્ષસુખને પ્રાપ્ત કરવું એ પરમ સાધ્ય છે, તથા તેને માટે જ પ્રયાસ છે અને હાવા જોઈએ.
જે લેાકના વ્યવહારમાં પ્રવતે તે જ વ્યવહારાગ્ય કહેવાય. લાકે ઉપાદેય પદ્યાર્થીમાં પ્રવૃત્તિ અને હૈય પદાચૌથી નિવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ કરે છે, માટે વ્યવહારચેાગ્ય શ્રુતજ્ઞાન હેાવાથી તે જ અત્યંત લેાકેાપકારી છે.
શ્રુતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદૃષ્ટિને વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થો સમજવાને લાયક અને છે, ઉત્સ-અપવાદ સમજાય છે, વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્ત્વના વિચાર કરવાનું મળ આવે છે. સ્યાદ્વાદ સૃષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદોના અપેક્ષાએ સદ્દભાવ સમજી શકાય છે.
સર્વ જનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. ‘ સ્યાત્ ' પદ્મના અ‘ કંચિત્ ’ છે; માટે જે ઉપદેશ હાય તેને સવથારૂપ જાણી ન લેવા, પણ ઉપદેશના અને જાણી ત્યાં આટલા વિચાર કરવા કે-આ ઉપદેશ ક્યા પ્રકારે છે ?, કયા પ્રત્યેાજન સહિત છે ? અને કયા જીવને કાર્યકારી છે ? ઇત્યાદિ વિચાર કરીને અથ ગ્રહણ કરવા.
વિવિધ દૃષ્ટિબિન્દુઓદ્વારા નિરીક્ષણ કર્યાં વગર કાઇ વસ્તુ સ’પૂર્ણ સ્વરુપે સમજવામાં આવે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપયાગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હાય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org