SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩૨ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસની રુચિ અલગ અલગ જોવામાં આવે છે. કઈ પણ વસ્તુ વાંચી અને સાંભળી એટલે જ્ઞાની બની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરવાથી જ જ્ઞાની થવાય છે. આત્માની વાત કરી કંઠ બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આત્માના સમ્યગદર્શનાદિ ગુણેને પ્રાપ્ત કરવા યથાશક્તિ માર્ગ પકડવામાં ન આવે, ત્યાં સુધી શુષ્ક જ્ઞાનીપણું છે. | મધ્યસ્થ દષ્ટિ રાખી મહાત્માઓને સત્સંગ કરતાં, તેમણે આપેલા દિવ્ય વિચારરૂપ જ્ઞાનચક્ષુથી ભગવાનને માર્ગ જેનાર જ ખરેખર માર્ગ પામી શકે છે. બાકી જાતિ, કુળ, વેષ વિગેરે પર મમત્વ રાખનાર કદી પણ ભગવાનને માર્ગ જાણવાને સમર્થ થઈ શક્તા નથી. રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત દુષિત છે અને મતના આગ્રહરૂપ ગ્રાહથી ગ્રસાયલા છે, તેમની પાસેથી શાસ્ત્રશ્રવણ કરી ભગવાનને માર્ગ પામ તે સર્પની પાસેથી–અમૃત અને માર્કેટની પાસેથી શાન્તતા મેળવવા જેવું છે. એક તરફ મત અથવા ગચ્છને મમત્વ અને બીજી તરફ નિર્મળ આત્મતત્ત્વની વાત કરવી, એ બનતું નથી. જ્યાં મતને મમત્વ હોય, ત્યાં આત્મતત્તવનું જાણપણું હોતું નથી. જેમ વૃક્ષના મૂળમાં અગ્નિ બળતે છતાં વૃક્ષ લીલું રહે તે સંભવિત નથી, તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસંવાદ છે. એટલે મમત્વીઓ યથાર્થ તત્ત્વ જાણે અને કહે તે ઉપર કહેલા વૃક્ષના દૃષ્ટાંત જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy