SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલ જૈનશાસ્ત્રમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યક્રિયા જ પ્રશસ્ત કહી છે અને એ જ પાંચ અનુષ્ઠાન પૈકી ચેથા તહેતુ અનુષ્ઠાનમાં આવી શકે છે. એ સિવાય બીજા અનુછાને દ્વારા કરાતી ક્રિયા તુચ્છ હાઈ ત્યાજ્યમાં ગણું છે. ઉત્તમોત્તમ જન્મને લાભ થયા છતાં પણ પાછું હલકી નિમાં આવવું પડે છે, માટે ઉત્તમ લેકની (દેવ કાદિકની) આશા તજવી જોઈએ, અર્થાત્ માત્ર મેક્ષની ઈચ્છા રાખવી એ જ ઉત્તમ છે. જેનદર્શનમાં ઉત્તમ લેકાદિની આશાએ કરવામાં આવતાં અનુષ્ઠાનને ગરલાનુષ્ઠાન કહે છે, જે ત્યાજ્ય માન્યું છે. દાનાદિ ધર્મોથી વિરુદ્ધ વસ્તુ આચરવાના ભાવને શાસ્ત્રકારોએ કદી પણ ભાવ કહ્યો નથી, પરંતુ દાનાદિ ધર્મોને અનુકૂળ પ્રવૃત્તિ આચરવાના ભાવને જ શાસ્ત્રકારોએ શુભ ભાવ તરીકે પ્રતિપાદિત કરેલ છે. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતી ભક્તિ એ ભક્તિ જ કહેવાતી નથી. ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખી કાળાનુસાર દેના પરિહારપૂર્વક થતી ભક્તિ એ જ સાચી ભક્તિ કહેવાય છે. સંયમની રક્ષા કરતાં રહીને જીવનયાત્રા નિર્વહવી. સ્વાધ્યાય, પૂજન, દાનાદિક ક્રિયામાં પણ એ જ હેતુ રહેલે છે. જે સંયમની રક્ષા થતી ન હોય-સંયમ ન જ જળવાતું હોય અને બાકીના ક્રિયાકાંડ ચાલતાં હોય, તે એ બધું એકડા વિનાના મીંડા જેવું છે. જડ પદાર્થને લેવા-મૂકવામાં ઉન્માદથી વતે, તે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy