________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૩૯ પ્રદેશ નથી, તેમ આ જી વિનાનું પણ કેઈ સ્થાન નથી અને “બાદર-નિગદ તે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ છે.
સૂક્ષ્મ-નિગોદ અને બાદર-નિગદ એ તે જીવના શરીરનું નામ પણ છે. એક નિગદમાં રહેલા અનંત જીવનું શરીર એક જ હોય છે, તેથી તે જ પણ નિગદના નામથી ઓળખાય છે. સમકાળે ઉત્પન્ન થયેલા તે અનંત જેની શરીરરચના પણ સમકાળે (સર્વ જીવોની એકી સાથે) થાય છે, ઉચ્છવાસ-નિઃશ્વાસગ પુદ્ગલોનું ગ્રહણ અને મૂકવાનું પણ સર્વ જીવેનું સમકાળે એકી સાથે છે. અનંત જીનું ઔદારિક શરીર એક જ હોવા છતાં તેજસ-કામણશરીર તો તે જીવના પોતપોતાના જુદા જુદા હોય છે. દરેક જીવ પોત પોતાની અવગાહનામાં અસંખ્ય આત્મપ્રદેશવાળો હોય છે અને તેના પ્રદેશની સંખ્યા લોકાકાશના પ્રદેશ તુલ્ય બરાબર છે. કઈ પણ જીવ જ્યારે લધુમાં લઘુ અવગાહના કરે, ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને જ રહી શકે છે. જો કે તે તે આકાશપ્રદેશ બીજા અનંત જીવોના દરેક અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશે હેાય છે, તે પણ જીવન અને પુદ્ગલેને મળીને રહેવાને સ્વભાવ હોવાથી એકેક આત્મપ્રદેશે અનંતા છૂટા પરમાણુ બેથી માંડીને યાવત્ અનંતા પરમાણુના સ્કંધ અને અનંત જીના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ પરસ્પરને બાધા ર્યા સિવાય રહી શકે છે. (જેમ એક દીવાના પ્રકાશમાં અનેક દીવાના પ્રકાશ મળી જાય છે તેમ.) તે દરેક જીવના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતી અનંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org