________________
-
૬]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા
બતાવી શકે જ નહિ, કારણ કે-શાસ્ત્ર બનાવનાર ઋષિ– મહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ, પરમાર્થદષ્ટિવાળા અને કેપકારની વૃત્તિવાળા હોય છે, માટે અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે? અતઃ તેઓના કથનનું રહસ્ય બરાબર શેાધવું જોઈએ કે-અમુક વાત તેઓ ક્યા આશયથી કહે છે.
એ પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્ય મતાનુસારી વિદ્વાનોએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી
" एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि।
कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः॥"
અર્થા–એ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે ખરું રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જાણવે. વળી તે કપિલનો ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે-તેઓ દિવ્યજ્ઞાની મહામુનિ હતા.
આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની ખૂબ આલોચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિ જાહેર
" अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये ।
क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्वतः ॥ विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org