________________
૧૫૪].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યમાં વ્યાપૃત હોય ત્યારે અન્ય વિચારને મૂકી દે અને જે મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તે તરત જ તેમાંથી પોતાનું મન નિવૃત્ત કરવું-ખેંચી લેવું. કઈ પણ વિચાર, બલાત્કારે મનમાં આવે તે તેનાથી આગ્રહસહિત પાછું ફરવું, અર્થાત્ પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને મૂકી દેવોકાઢી નાંખો. જરૂર જણાય તે શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની (આકાશની) કલ્પના કરવી. કેવળ શાંતતા તથા અંધકારને અનુભવ કરવાને યત્ન કરશે. આ પ્રમાણે જે આગ્રહસહિત અભ્યાસ કરવામાં આવશે, તે નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે અને સ્વસ્થતા તથા શાંતિ મળશે.
બાહ્ય ભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવું, એ ઉત્તમ ભૂમિકાના પ્રારંભની નિશાની યા પ્રસ્તાવના કરવા જેવું છે.
મનને શાંતિ આપવાને સરળ માર્ગ–મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાને અનન્ય માર્ગ અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણું સહેલો માર્ગ વિચારનું પરાવર્તન કરવાનું છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિરંતર આગ્રહસહિત વિચાર કરતો હોય, તેણે બને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચારશ્રેણિ રાખવી જોઈએ, કે જે શ્રેણિ ઉપર તે પિતાનું મન વિશ્રાંતિ માટે પરાવર્તન કરી શકે. જેમકે-દ્રવ્યાનુયેગને વિચાર કરનારે મગજ અથવા મનની વિશ્રાંતિ માટે તે વિચારશ્રેણિ મૂકી દઈ શેડો વખત કથાનુગ (મહાપુરૂષનાં ચરિત્રે)ના વિચારની શ્રેણિને અંગીકાર કરવી? અથવા ધ્યાનસમાપ્તિ કર્યા પછી જેમ બાર ભાવના સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org