SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૫૩ છે, કેમકે-સંતાષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઇ જાય છે. મનથી થતી ક્રિયા અને વિરતિ-આત્મચ્છાએ મનન કરવું અને તેમ કરતાં આભેચ્છાએ વિરમવું, આ ઉભય શિક્ષાથી માનસિક ખળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતાં હાઇએ ત્યારે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ, તેમજ સારામાં સારા વિચાર કરવા જોઇએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરવા, પણ મેાટા ખડકેાની સાથે અથડાતાં નાવની માફક એક વાર મનના સ્પર્શ કરવા અને બીજી વાર તેના ત્યાગ કરવા, વળી ગમે તે જાતિના વિચાર કર્યાં તેના ત્યાગ કરી ત્રીજો વિચાર કર્યાં, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. જ્યારે કામ ન કરવું હાય ત્યારે યંત્રને ગતિમાન રાખવાથી ઘસાઈ જાય છે, તેમજ મનની અમૂલ્ય યંત્રરચનાને નિષ્પ્રયેાજન વારવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તે તેથી કાંઈ પણ ઉપયેાગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરિત થઈ જાય છે અને અકસ્માત્ નાશ પામે છે. વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી ?–વિચારવૃત્તિને નિવૃત્ત કરવાનું આ કાર્ય† સરળ નથી. વિચારક્રિયા કરતાં તે અધિક કઠિન છે. જ્યાં સુધી તેને અભ્યાસ સંપૂણ દૃઢ ન થાય ત્યાં સુધી થોડા થોડા વખત તે અભ્યાસ ચાલુ રાખવા. પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિના વ્યય થાય છે. જ્યારે અભ્યાસી પૂર્વે કડ્ડી આવ્યા તેવા સ્થિર મનન કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy