________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૨૧ પ્રકારને ભય, વિષયાદિમાં સુખપ્રાપ્તિ આદિ ભ્રમ અને સાંસારિક પ્રવૃત્તિ વિગેરે પાપપ્રવૃત્તિને નાશ કરવાથી નિર્ભયવાન થવાય છે. જે મહામુનિને કાંઈ ગોપ્ય નથી, આપ્ય નથી, હેય નથી, દેય નથી અને જ્ઞાન કરીને પેયને જાણે છે, તેમને કઈ ઠેકાણે ભય નથી.
૧૮. અનાત્મશંસા-સ્વગુણરૂપી દેરડાનું આલંબન કરે તે તેના હિતના માટે થાય છે, પરંતુ પિતે જ સ્તુતિ કરતા ભવસમુદ્રમાં પડે છે, માટે આત્મગુણપ્રશંસા ત્યાગ કરવા યોગ્ય છે. પૂર્વના પુરુષોથી અત્યંત નીચત્વ ભાવવું. પ્રત્યેક આત્માને વિષે તુલ્ય દષ્ટિએ કરીને શુદ્ધ પર્યાય જેણે જાણ્યા છે, એવાં મહા મુનિને ઉત્કર્ષ એ અશુદ્ધ પર્યાય હેવાથી નથી હોતો.
૧૯ તત્ત્વદષ્ટિ-જેની દષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે મોહ પામે છે અને જેની અરૂપી તત્ત્વષ્ટિ છે, તે નિરૂપ એવા આત્મામાં મગ્ન છે. બાહ્યદૃષ્ટિ તે અતત્વદષ્ટિ અને અંતરદષ્ટિ તે તવદુષ્ટિ જાણવી. તત્વદૃષ્ટિથી જોઈએ ત્યારે જ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે. બાહ્યદૃષ્ટિ જીવ ભસ્મ કરીને, કેશલચે કરીને અને શરીર ઉપર રાખેલા મલિન વસ્ત્રોએ કરીને પિતાને મોટે માને છે, જ્યારે તત્ત્વષ્ટિ જ્ઞાન સામ્રાજ્ય કરીને પિતાને ગરિષ્ઠ જાણે છેમાને છે.
૨૦. સર્વ સમૃદ્ધિવાનુ-બાહ્યદૃષ્ટિને પ્રચાર વિરૂદ્ધ કર્યો છતે મહાત્મા મુનિને સર્વ સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org