SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 15 જૈન દર્શનની મહત્તા જૈન ધર્મના સિદ્ધાન્તોને સ્કુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્ત્વનિરૂપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. કોઈ પણ દર્શનના સિદ્ધાનોને તેડી પાડવાની સંકુચિત્ત વૃત્તિ તેમના વચનમાં નહિ દેખાય. બકે અન્યાન્ય સિદ્ધાન્તોને સમન્વય કરવા તરફ પ્રયાસ સેવવાની તેમની ઉદારવૃત્તિ અને વિશાળ દષ્ટિ તેમના ગ્રંથોમાં સ્પષ્ટ જોવામાં આવે છે. દાખલા તરીકે-ભગવાન હરિભદ્રાચાર્યને શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ગ્રંથ તેમાં એક સ્થળે જૈનદર્શન– સમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી” એ સિદ્ધાત યુક્તિપુરસ્પર સિદ્ધ કર્યા પછી તેઓશ્રી જણાવે છે કે ઈશ્વરકતૃત્વને મત પણ નીચે મુજબની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે–પરમાત્મા–ઈશ્વરે ફરમાવેલા માર્ગનું અનુસરણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે–એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદશિત માર્ગનું આરાધન નહિ કરવાથી ભવચકમાં જે પરિભ્રમણ કરવું પડે છે. તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાની સજા છે, એમ કહી શકાય છે.' १ "ततच्चेश्वरक त्ववादोऽयं युज्यते परम् ॥ सम्यगन्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः॥ ईश्वर; परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ।। तदनासेवनादेव यत्संसारोऽपि तत्वतः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy