________________
52
જેનતત્ત્વ વિચાર નાથી એકેક જીવ પ્રતિ અશુભ કર્મ બાંધે છે; તેમ નિગેદ જના કર્મબંધ વિષે પણ સમજવું.
અતિ સાંકડા પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ અને જાળ વિગેરેમાં સંપડાયેલા માછલાં પરસ્પરની બાધાથી ટ્રેષયુક્ત થયા છતાં અતિ દુઃખી થાય છે.
પંડિત કહે છે કે-ચારને મરાતે અથવા સતીને અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી જેનારા દ્વેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે; જે ખરેખર અનેક જીવને એકી સાથે ભેગવવું પડે છે. એ પ્રમાણે કૌતુકથી બંધાયેલા કર્મોને વિપાક અતિદુદખદાયી થાય છે, તે પછી નિગોદના જીએ પરસ્પર બાધાજન્ય વિરોધથી અનંત છે સાથે બાંધેલા કમેને ભેગ (પરિપાક) અનંતકાળ વિત્યા છતાં પણ પૂરે ન થાય તેમાં શું આશ્ચર્ય છે?
નિગદના જીવોને મન નથી તેમ છતાં, પરિપાક અનંતકાળ સુધી પહોચે–એવા કમ શાથી બંધાય છે?— નિગેદન જાને મન નથી, તે પણ અન્યની બાધાથી દુષ્કર્મ તે ઉત્પન્ન થાય જ. વિષ જાણતાં ખાધું હોય અથવા અજાણનાં ખાધું હોય, તે પણ તે મારે જ. જે જાણવામાં હોય તે પોતે અથવા બીજા ઉપાય કરે તેથી કદાચ બચી જાય, પરન્તુ અજાણપણે ખાધેલું તે મારી જ નાખે. તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વૈર અનંતકાળે પણ ભેગવતાં પૂરું થાય નહિ. નિગોદના જીવને મન નથી, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયયાગ જે કર્મબંધના હેતુ છે, તે હેાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“વીર્ય બે પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org