________________
આત્મ ચિંતન
41,
હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે. અપેક્ષાએ તે બધા મતમતાંતરેના સવળા અર્થો અને નિર્ણ કરી શકશે. તેને મન પિતાનું કે પારકું હવે રહેશે નહિ, તેમજ કેઈ પિતાનું કે પારકું નથી અથવા બધા પિતાના છે, એ દિવ્ય પ્રેમ પ્રગટ થશે. ગમે તે ગચ્છ–મતને હોય છતાં આ ગુણને દેખીને તે મતાંતરવાળા પ્રત્યે પણ પ્રેમ અને પૂજ્યબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારે માર્ગો દેખાઈ આવશે અને કોઈ પણ માગે પ્રયાણ કરનારને કાં તો તેનું નિશાન બદલાવીને– કાં તે તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે ષની લાગણી બંધ કરાવી પ્રભુમાર્ગને રસિક બનાવી શકશે. તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે. તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પોષાતો રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હદય નિર્લેપ જ રહેશે. “હું આત્મા છું, શુદ્ધ આત્મા છું” -આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. તેને કોઈ પરચિંતનને અધ્યવસાય નહિ હોય. પહેલાં વસ્તુની કાળી બાજુને તે જોતો હતો. હવે તેની દૃષ્ટિ બધી બાજુ જેનારી થશે, છતાં તેનું હૃદય ઉજવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશેઃ અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હેય, એવી જ લાગણી હોય એમ માનીને પોતે પિતાના નિશાન તરફ લક્ષ્ય રાખીને આગળને આગળ ચાલ્યા કરશે.
એવી રીતે બન્ને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગ દ્વેષ ન -કરતાં પિતાના સ્વભાવમાં જ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org