SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 26. જૈનતત્ત્વ વિચાર શકે છે. એથી જ અનુભવસિદ્ધ તને અલાપ કરી. શકાય નહિ. કિયા અવંચક બન્યા વિના ફલાવંચક બની શકાતું નથી. ક્રિયા–અવંચકતા એટલે કે-શાસાનુસારી ગુર્વાદિ દ્વારા શાસ્ત્રને અનુસરી દર્શિત તને સ્વીકાર કરે અને સૂચિત અનુષ્ઠાનેનું યથાકાળ અને યથાશકિત સેવન કરવું તે છે. એ કિયા-અવંચકતામાં ગુણસ્થાનક ભેદે આરાધનાને ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ છાયેગી તો. હોય જ અને એથી જ શકય અનુષ્ઠાને આરાધક છતાં અશકયને ઈચ્છક પણ હોઈ શકે છે, છતાં વાસ્તવિક તે શાસ્ત્રયેગી જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ “ક્રિયા–અવંચકતા છે. જેટલા જેટલા અંશમાં ક્રિયા અવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અંશમાં જાગૃતદશા પ્રગટ થતી જાય છે. એ જાગૃતિદશા એટલે મિથ્યાષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યજનિત આત્મિક સુખમાં દુઃખની કલ્પનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હોય, તેનાથી પરમુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે “અનિદ્રિત દશા” તે છે. વિષયષાય જનિત સામગ્રીમાં બાહ્ય સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્ય જનિત આત્મિક સુખમાં બહિઃખ હોય પરંતુ આંતરિક તે સુખ જ હોય. અર્થાતુ મિથ્યાત્વ અંધ છોને માટે જે આન્તરસ્કૂટ: પ્રકાશરૂપ ઝગઝગતે દિન હોવા છતાં નિશારૂપ હોય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy