SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ 351 ચિંતન કણિકા નિવૃત્તિ શ્રતજ્ઞાન દ્વારા જ કરે છે. માટે વ્યવહારશ્ય શ્રતજ્ઞાન હોવાથી તે જ અત્યંત લોકપકારી છે. [૪૮૧ ] શ્રતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદષ્ટિનો વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થો સમજવાને લાયક બને છે, ઉત્સર્ગ– અપવાદ સમજાય છે. વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્વને વિચાર કરવાનું બળ આવે છે. સ્યાદ્વાદ દષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદોને અપેક્ષાએ સદૂભાવ સમજી શકાય છે. [૪૮૨ ] સવ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. “સ્યા ” પદને અર્થ “કથંચિત્' છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથારૂપ જાણી ન લે, પણ ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરો કે આ ઉપદેશ કયા પ્રકારે છે?, કયા પ્રોજન સહિત છે? અને ક્યા જીવને કાર્યકારી છે? ઈત્યાદિ વિચાર કરીને અથ ગ્રહણ કરશે. [ ૪૮૩ ]. તે વિવિધ દષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વરત સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવે નહિ. આ માટે સ્થાદ્વાદ ઉપચેગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હોય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ. જ્યારે કેઈ પણ પ્રકારતે પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્વાદ પ્રધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy