________________
ચિંતન કણિકા
329 શું છે ? સાધ્ય શું છે ?–તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાખે છે.
[ ૩૭૭ ] " જેટલો વખત આયુષ્યને તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તે મનુષ્યપણાનું સફળ થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે-એ નિશ્ચય કરવો જોઈએ અને તેના સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવા યોગ્ય હોય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે.
[ ૩૭૮ ] લૌકિકભાવ આડે જ્યાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતિએ સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એ સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોકચેષ્ટા–એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સંભવે છે.
[ ૩૭૯ ] લોકની દષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહિ તથા તેમાંથી અંતર્ધ્વત્તિ છૂટી જાય નહિ, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક મહામ્ય લક્ષગત થઈ શકે નહિ.
[ ૩૮૦ ] આત્માનુભવ મેળવવાના જિજ્ઞાસુ એવા ત્યાગીઓ, પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org