________________
» અહં નમઃ મંત્રના જાપનું માહામ્ય
213 તે જાપ ઉત્તમ છે. આ જાપ “» અ નમઃ—આ પાંચ અક્ષરને છે. આને અર્થ આ પ્રમાણે છે –
બોંકારમાં પંચરમેષ્ઠિને સમાવેશ થાય છે. પંચપરમેષ્ઠિ એ આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને કાર બનેલ છે.
અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, -આ પાંચ ભૂમિકા છે.
આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામથી બોલાવાય છે. આની અંદર નિર્વાણ પામેલા-મોક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧.
અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની કેવળજ્ઞાની શ્રી તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨.
આચાર્યની અંદર પ્રભુમાર્ગના રક્ષક, પિષક, સંદેશવાહક, સત્ય વસ્તુના પ્રતિપાદક, સમુદાયના સ્વામી અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩.
ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્વના પ્રતિપાદક, અનેક ઇને જાગૃતિ આપનાર ઉચ્ચ કેટિના સાધકને સમાવેશ થાય છે. ૪.
મુનિઓની અંદર જેઓને બોધિબીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વત્યાગી, વૈરાગી તથા સ્વરૂપમાં રમણતા કરનારા સ્વપર ઉપકારી સર્વ સાધુવર્ગને સમાવેશ થાય છે. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org