SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મનને વશ કરવાને ઉપાય | 197 એકાગ્રતાના જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે, તેથી “આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા” તે કામ મન પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તેને આવી ટેવ પડાવવી જ પડશે. અશુદ્ધ વિચારો સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યને અનેક વર્ષો વ્યતીત કરવા પડે છે, પરંતુ શુદ્ધ વિચારેને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારેને અવકાશ રહેતો નથી. તેમજ અશુદ્ધ વિચારેને પ્રત્યુત્તર નહિ આપનાર મન જેમ જેમ પોતા તરફ આકર્ષાતું જાય છે તેમ તેમ મનુષ્ય ખરાબ વિચારોને નહિ સ્વીકારવાને ચગ્ય બનતો જાય છે. સારા વિચારે કરવાને અભ્યાસ રાખવાથી, ખરાબ વિચારે ન કરવાની દઢતાવાળા અને સારા વિચારો સ્વીકાર કરવાના સામર્થ્યવાળા આપણે બનીએ છીએ. અસદ્ વિચારને સ્થાને વિચારે આ પ્રમાણે સ્થાપન કરવા. ધારે છે–તમને કે મનુષ્યના સંબંધી અપ્રિયવિચાર આબે, તો તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં કંઈ જુદો જ સદ્ગુણ હોય અથવા તેણે કાંઈ સારું કાર્ય કર્યું હોય તેને વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે. કદાચ તમારું મન ચિંતાથી વ્યગ્ર હોય, તો તે ઠેકાણે તે ચિંતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરે, અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીર્યવાન મહાત્માના વિચારે સ્થાપન કરે, જેથી ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે. કદાચ તમને શરીરાદિ ઉપર રાગ-નેહ થતું હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy