SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 150 જૈનતત્ત્વ વિચાર બાહા અવિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ અત્યંતર છે તે સહેજે બહાર આવે છે. અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી પણ કર્મના ઉદય આધીન જીવ બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તે પણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિર તિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહિ, કેતે અવિરતિ પણાથી કિયા કરી શકે. મેહભાવવડે જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સમ્યકત્વભાવ તે પ્રગટે છે. માટે ત્યાં આગળ મોહભાવ કેમ હોય? અર્થાત્ હેતે નથી. જે એવી આશંકા કરવામાં આવે કે-પાંચ ઈદ્રિય, છટૂઠું મન, પાંચ સ્થાવરકાય અને છઠી ત્રસકાય-એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે, તે લેકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે; તેમાંથી પાંચ સ્થાવર કાય અને છઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ. પરંતુ લોકમાં ૨ખડાવનાર અજીવરાશિથી તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતિ ગણી શકાય? તેનું સમાધાન પાંચ ઈદ્રિય અને છઠા મનથી જે વિરતિ કરવી છે, તેનું જે વિરતિપણું છે, તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. આ રીતે જે જીવ મેહભાવને ક્ષય ચોપશમ કે ઉપશમ કરે છે તેટલા પ્રમાણમાં તે વિરતિપામવા ગ્ય બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy