SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 124 જૈનતત્ત્વ વિચાર નથી. ધનની રુચિવાળે જ્ઞાની પણ પાપી બને છે અને ધર્મની રૂચિવાળો અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવું કે નિષ્પાપ બનવું તેને મૂખ્ય આધાર જ્ઞાન ઉપર નથી પણ રૂચિ ઉપર છે. એ રૂચિને સુધારનાર જ્ઞાન તારક છે અને બગાડનાર જ્ઞાન ડુબાડનાર છે. અધમ રૂચિવાળા આત્માએ પિતાની તે રૂચિને છોડી નહિ શકવાથી ઉત્તમ રૂચિવાળા આત્માઓ પ્રત્યે તેમને વિરોધ ચાલુ હોય છે. એ વિરોધનું મૂળ રૂચિને ભેદ છે. જ્યાં સુધી બે વિરુદ્ધ પ્રકારની રૂચી રહેવાની છે. ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાનું છે. એ વિરોધને જેએ. ટાળવા ઈચ્છતા હોય, તેઓએ રૂચિને ભેદ ટાળવાની પ્રથમ આવશ્યકતા છે. પરસ્પર વિરુદ્ધ રુચિવાળા જ પિતાની તે રુચિને સમાન બનાવ્યા વગર એકમતિ બનાવવા માગતા હાય અગર તેઓને જે કઈ એકમતિ બનાવવા ઈચ્છતું હોય, તે તેઓની તે ઈચ્છા કેવી રીતે ફલિભૂત થવાની છે? એકમતિ બનવા માટે રૂચિની એકતા કરવી એ પ્રથમ આવશ્યક છે. તે સચિને એને જ કે કેવી રીતે તે રૂચિની એકતા કરવાને પ્રયાસ કર્યા વગર જ જગતને એક અભિપ્રાયવાળું બનાવી દેવાની ચેષ્ટા કરવી. એ એક બાલિશ ચેષ્ટા જ છે. સર્વધર્મ સમભાવ, સર્વદર્શન સમભાવ, સર્વ શાસ્ત્રસમભાવ, આદિની વાતો કરનારા એ ધર્મરુચિ સમાજને ધર્મરુચિથી ભ્રષ્ટ કરી અધમ રૂચી બનાવવા માટે પ્રયાસ કરનારા છે. જ્યાં સુધી રૂચિભેદ રહેવાને છે ત્યાં સુધી ધર્મભેદ પણ રહેવાને છે, ધર્મભેદ રહેવાને છે ત્યાં સુધી દર્શન ભેદ પણ રહેવાનું છે, દશનભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy