SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ થવાદની મધ્યસ્થતા 83 પિતાના વક્તવ્યના પ્રતિપાદનમાં જેનો ઉદ્દેશ પરવિરોધને ય તે અજૈન દર્શન અને જેને ઉદ્દેશ સમન્વયનો હેય તે નદર્શન. અહીં પ્રશ્ન થાય છે કે–એક જ વસ્તુ પરત્વે નિત્યત્વકનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જે જૈનદષ્ટિ ય તે વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે, કારણ -એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર–અનિત્યત્વ ન વિકારતાં નિત્યત્વ–અનિત્યત્વ અને સ્વીકારે છે. તેને ઉત્તર મે છે કે-વૈશેષિકદર્શનમાં નિત્યત્વ અને અનિત્યત્વ એ વિરોધી અંગેનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તક બને નાનું સ્થાન છે ખરું, પણ એ બન્ને પોત tતાના વિષયનું સ્વતંત્ર પણેજ પ્રતિપાદન કરે છે. એટલે કે ને ન પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદર અંદર એકબીજાથી નિરપેક્ષ છે, જેથી એ જૈનદર્શન નથી. એક એક છૂટો વાદ ગમે તેટલો પ્રબળ દેખાતો હોય, છતાં | એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હાઈ યથાર્થ જ્ઞાન ૨ પાડી શકતો નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ કે પોતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત કરી શકતું નથી. ત્યારે સમન્વય એ દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલ હોઈ થાર્થ જ્ઞાન પૂરું પાડે છે. એ જ પ્રમાણે સામાન્ય વિષયની પાબતમાં પણ છે. દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બન્ને નિરપેક્ષ પણે ટા છૂટા યોજવામાં આવે તો એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઉભું કરે છે. જૈનદર્શન કઈ પણ એક વસ્તુ પર એ વિરોધી દેખાતા ધર્મોને સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે અને વૈશેષિક દર્શન વસ્તુભેટે વિરોધી ધર્મોને ભેદ થી કરે છે આ તેમાં તાવત છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy