SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમબલિદાન વાડીમાં દરિયાનાં મોજાંની છોળો ઊડીને જમીન ઊખર થઈ હતી અને ત્યાં કશું જ ઊગતું ન હતું. એ મકાન વિષે એવી દંતકથા ચાલતી કે, રાતના વખતે, તેમાં દેખાતા પ્રકાશ કે ભડકાથી ડર્યા વિના, જો તમે ત્યાં જઈને અંગીઠીની અભરાઈ ઉપર સોયા અને ઊનના દડા તથા રાબ ભરેલી તાંસળી મૂકી આવો, તે બીજે દિવસે સવારે પેલી રાબ અલોપ થઈ ગઈ હોય અને હાથનાં મોજાંની જોડ ગૂંથેલી તૈયાર પડી હોય. અલબત્ત, એ રીતે મોજાં ગૂંથાવવા કોઈ જતું નહીં કે ગયું હોવાની ચોક્કસ માહિતી પણ કોઈને ન હતી. એ ઘર એમાંના ભૂત સાથે થોડા પાઉડમાં જ વેચાતું મળતું હતું. પેલી બાઈ કાં તો પેલા ભૂતના ભરમાવ્યામાં આવી ગઈ, કે તે મકાનના સસ્તાપણાથી ભેળવાઈ ગઈ, - કોણ જાણે, પણ તેણે એ મકાન ખરીદી લીધું. તેણે એ મકાન ખરીદ્ય એટલું જ નહિ પણ પેલા બાળક સાથે તે ત્યાં રહેવા પણ લાગી. ત્યારથી માંડીને એ મકાનમાં બધા ઉપદ્રવો શાંત થઈ ગયા. અર્થાત્ એ બાઈ પ્રત્યે લોકોને વહેમની નજરે જોવાનું કારણ મળ્યું ! એ બાઈ પિતાની જમીનમાં વાવણી કરતી. એ એક ગાય પણ રાખતી. બીજા ખેડૂતોની જેમ જ તે પોતાનાં શાકભાજી, વટાણા વગેરે વેપારી-દલાલ મારફત વેચી નાખતી, પરંતુ એ બધું એના સાગરીત ભૂતની મદદથી જ કરે છે, એમ મનાતું. તેણે ઘરને ખાસ કંઈ સમરાવ્યું નહીં – રહેવા જોગ બને એટલું જ સમારકામ તેણે કરાવ્યું. બહુ ખરાબ તોફાનમાં જ વરસાદનું પાણી એરડાઓની છતમાં થઈને અંદર આવે. ભોંયતળને પડદીઓ ભરાવી લઈ ત્રણ ઓરડા બનાવવામાં આવ્યા: બે સૂવા માટે અને એક જમવા માટે. ઉપરને માળ અનાજ ભરવાના કોઠાર તરીકે વાપરવાનો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy