SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં આગળ જ મહાન વિભૂતિઓનું તેજસ્વી-યશસ્વી જીવનકાર્ય પૂરું થતાં તેમના જીવનને અંત કેવી રીતે બતાવે એ અંગે સાચા કલાકારની કળાને પ્રશ્ન આવીને ઊભા રહે છે. આ જગતને ભ્રષ્ટા જે પરમ કલાકાર છે, તે શું કરે છે. તે જ જુઓ ! રાજવીઓમાં પરમ રાજવી – યોગેશ્વરમાં પરમ - યોગેશ્વર શ્રીકૃષ્ણને અંત એક સામાન્ય પારધીના મૃગલું મારવા છેડેલા બાણથી આવે છે, ભગવાન ગૌતમ બુદ્ધને અંત ભક્ત આપેલા ભાવપૂર્વકના આહારથી આવે છે. અહિંસાધર્મના પરમ ઉપાસક ગાંધીજીનો અંત ગાંડા ગોડસેની ગોળીથી આવે છે. જીવનનાં ગૂઢ સત્યોને નિકટપણે સ્પર્શતા વિક્ટર હ્યુગો જેવા કલાકારો તેથી જ પોતાના ઉચ્ચતમ સર્જન જિલિયાત જેવાનું મોત બીજી કોઈ રીતે બનાવી જ ન શકે. જિલિયાત જેવાને મૃત્યુમાંથી અમરપણામાં પ્રવેશતા જ બતાવી શકાય. આ મરતા જ નથી; તેમનું મૃત્યુ પોતે મરી જાય છે. તેથી જ જિલિયાતનું માથું છેવટે દરિયામાં ગરક થયું હશે, ત્યારે શ્વાસના બે પરપોટા પણ પાણી ઉપર નહીં આવ્યા હોય. તેનો જીવ પરમ પિતાએ પિતાને ખોળે અધ્ધર જ લઈ લીધે હશે. પંડિત નહેરની અંગ્રેજી “જ્ઞાન બારીમાંથી આજકાલ કામશુંગારના ગંદા સાહિત્યનું પૂર આખા ભરતખંડ ઉપર ફરી વળ્યું છે. સ્ત્રી-પુરુષ સંબંધનાં નૈતિક મૂલ્યોને જે હૃાસ દેશમાં આજકાલ નીપજેલો દેખાય છે, તે કદી પણ આ દેશમાં નીપજ હશે કે કેમ તેની શંકા જાય છે. અત્યારના અંગ્રેજી ભણેલાં ભારતીયું નવજુવાનને સ્ત્રી-પુરુષના પ્રેમના ચરમ સાર્થકતા આત્મ-બલિદાન છે, એમ કહીએ તોપણ હસવું આવે. એને મન તે સ્ત્રી-પુરુષને પ્રેમ એટલે નિરોધનાં રબ્બર કે નસબંધીનાં ઓપરેશને. - ભારત ઉપર કરી વળેલા એ ગંદા સાહિત્યના પૂરનું નિવારણ કરવા સામી સ્વચ્છ સાહિત્યની બીજી મજબૂત અડ ઊભી કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy