SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ રાજાએ ત્રિસ્તાન સામે જોઈને કહ્યું, બહુ જીભ લાંબી છે, આની તે; ત્રાસ્યા એનાથી! એને છોડી મૂકો, ધોલધપાટ કરીને !” - ૩ દાક્તરે હવે રાજાજીની તબિયત વિશે પૂછપરછ શરૂ કરી. કારણકે, એ અંગે જ રાજાજીએ તેને તેડાવ્યા હતા. રાજાજીએ તરત જવાબ આપ્યો, “ અરે રે, આજે મારા કાનમાં ધમાકા થયા જ કરે છે, અને મારી છાતીમાં જાણે આગ સળગી હાય એવી બળતરા થાય છે.” દાકતરે ગંભીર માં કરી તેમની નાડી જોવા માંડી. દરમ્યાન કૉપનાલે પોતાના સાથીના કાનમાં કહ્યું, “ રાજાના આ દરબાર તા જુએ • એક દાક્તર અને એક જલ્લાદ. દાક્તર પોતાને માટે, અને જલ્લાદ બીજા સૌ માટે ! "9 દાક્તરે દરમ્યાન જેટલા ચાળા કરવા જોઈએ તેટલા કરી રહીને કહ્યું, સરકાર, આ બીમારી તે ગંભીર છે. ત્રણ દિવસમાં તે માણસ ખતમ થઈ જાય ! ” >> 46 66 બાલ્યા 66 માતાજી ખમા કરે ! મિત્ર, એની દવા ?’ .. >> હું તેને જ વિચાર કરું છું. અચાનક તે ચિંતનમાંથી જાગી ઊઠયો હાય, એમ માથું હલાવી સરકાર ધર્મ-વેરાના ઉધરાતદારની જગા ખાલી પડી છે, અને મારે એક ભત્રીજો છે. ” 66 એ ભત્રીજાને એ ખાલી જગા આપવામાં આવશે; પણ મારી છાતીમાંથી આ બળતરા ગમે તેમ કરીને મટાડ 66 આપ નામદાર આટલા બધા કૃપાવંત છે, તે અરજ છે કે, મેં જે નવું ઘર બંધાવવા માંડયું છે, તેનું છાપરું બાકી રહ્યું છે, તે મારી પાસે પૈસા ખૂટી ગયા છે. એ છાપરાનીય એટલી પંચાત હું ન કરત, પણ એમાં જેાં ફોર્બાનાં ચિત્રો છે- તે પલળી જાય કે ભેજ Jain Education International "> For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy