SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ પણ સાથે સેનાપતિ કદી પેાતાનાં માણસાને એવી દ્વિધામાં ઊભાં ન રાખે; એટલે યુનિસના રાજવીએ હવે મંદિર ઉપર સીધા ગોળીબાર કરવાના હુકમ કર્યો. ૨૮૪ એ ધડાધડ અવાજ સાથે આસપાસ રહેતા લોકો જાગી ઊઠયા અને કેટલાંય મકાનાની બારીએ ઊઘડી. સેનાપતિએ એ બારીઓ સામે ગાળીબાર કરવાને હુકમ આપતાં, તરત એ બધી પાછી બંધ થઈ ગઈ. તેણે લુહારોને ફરીથી દરવાજો તોડવાનું કામ શરૂ કરવા ફરમાવ્યું. પણ તેઓએ કહ્યું, આપણાં સાંડસી-ચીપિયાથી એ જંગી દરવાજો તૂટી નહિ શકે. ત્યારે એણે સામું પૂછયું, “તો આવા દરવાજે તોડવા શું જોઈએ ?” . “મેટો જંગી પાટડો તથા તેને ઝૂલાવીને દરવાજા ઉપર ઝી કી શકાય તેવા માંચડ. પેલાએ તરત પેલા પાટડા પાસે જઈ તેના ઉપર પગ મૂકો અને કહ્યું, “ આ રહ્યો પાટડો —– મંદિરવાળાઓએ જ આપણને માકલ્યો છે – તેમના આભાર માનું છું!” આ મજાકની ભારે અસર થઈ. બસેા બસેા હાથેાએ એ પાટડો પીંછાની પેઠે ઊંચકી લીધે, અને જોરથી તેનું માથું દરવાજા ઉપર ઝીંકયું. દરવાજો તે ન તૂટયો પણ એ પાટડો જોરથી ઝીંકાતાં આખું મંદિર ધણધણી ઊઠયું. તે જ ઘડીએ ઉપરથી મેાટા મેાટા પથરાનેા વરસાદ એ લાકો ઉપર વરસવા લાગ્યો. પણ હવે આ લોકોય ઝનૂનમાં આવી ગયા હતા. તેમણે એ પાટડા ફરીથી ઉપાડીને દરવાજા ઉપર જોરથી ઝીંકયો. પરંતુ ઉપરથી વરસતા પથરા કોઈ પૂંજો કાઢે ને ધૂળ ઉરાડે એમ ફાવે તેમ આવતા નહાતા. દરેક પથરા કોઈ ને કોઈની ખાપરી, ખભો કે પગ ભાગતા જ જતા હતા; અને એક જણ બૂમ પાડી રહે તે પહેલાં બીજાની બૂમ શરૂ થઈ જતી. તેમ છતાં ઝનૂને ચડેલી આ ભૂતાવળ લેાહી રેડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy