SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જુદાં જુદાં ઘડતર પણ ફેબસ મરી ગયો ન હતો. એ જાતના માણસો બહુ થવડ હોય છે. એટલે એમરાદાને અદાલતમાં જે કહેવામાં આવ્યું હતું કે, ફેબસ મરવાની તૈયારીમાં છે, અને ધર્માધ્યક્ષે તેના કેદખાનાના અંધાર-કૂપમાં જે કહ્યું હતું કે, “ફેબસ મરી ગયો છે’ – એ બંને વાત બોટી હતી. ખરી વાત એ હતી કે, બસનો ઘા બહુ કારમે ન હતો. એટલે ચોકિયાટ સૈનિકો જે સરજનને ત્યાં તેને ઉપાડી ગયા હતા, તેણે પણ શરૂઆતમાં તેના જીવવાની આશા નથી’ એવું શુદ્ધ લૅટિનમાં કહ્યું હોવા છતાં, કેપ્ટન ફોબસની યુવાની વિજયી નીવડી હતી, અને કુદરતે દાક્તરને જૂઠો પાડવાની મજા લેવા માટે જ ફોબસને સાજો કરી દીધો હતો. અને એક સવારે પોતાની જાતને કંઈક સાજી થયેલી જોઈ, કેપ્ટન ફોબસ પોતાની સોનેરી એડી સરજનને બિલ પેટે આપી દઈ, રાધા રવાના થઈ ગયા. તે જમાનામાં, ન્યાયાધીશ, ખૂન કરનારને હાથે પેલો માણસ ખરેખર મરી ગયો છે કે નહિ, એની બહુ પંચાત કરતા નહીં: ગુનેવાર ફાંસીએ ચડ્યો કે નહિ, એટલી જ દરકાર તેઓ રાખતા. રસમરાદા સામે ખૂનનો ગુનો કર્યાના પૂરતા પુરાવા હતા, એટલે બસ ખરેખર મરી જ ગયો છે કે કેમ, એની ખાતરી કરવાની તેમને 'રૂર નહોતી. ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy