SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદી મુલાકાતી ૧૧૧ કરતે, અને જગતને રોમની પ્રતિષ્ઠા ધૂળ મેળવવું જોઈ-જાણીને ચોંકે એમાં નવાઈ નથી. સ્થાપત્ય પ્રાચીન કાળમાં માનવ વિચારને અભિવ્યક્ત કરનાર કિતાબ બન્યું હોય છે. તાકાત તથા બુદ્ધિની માનવ ભૂમિકા, તે વખતના સ્થાપત્યમાં જ મૂર્તિમંત થાય છે. પ્રાચીન પ્રજાની સ્મૃતિ જ્યારે છલોછલ ભરાઈ જાય, તેના ઉપર એટલો બધો ભાર વધી જાય છે, સાદી માધી ભાષામાં તે સંઘરાઈ રહેવી કે જળવાઈ રહેવી અશકય બને, ત્યારે લોકો પોતાનો એ જ્ઞાનસંગ્રહ જમીન ઉપર લખી દે છે કે ઢાળી દે છે! અર્થાત્ પોતાની દરેક કીમતી પરંપરાને તે એક એક ઇમારત નીચે સીલબંધ કરી દે છે. - એક ઉપર એક ખડકેલા સીધાસાદા પથ્થરો ખરી રીતે માનવ જાતની ચિત્રલિપિ – પ્રતીકલિપિ જ હોય છે. એક એક પથ્થર એક એક શબ્દ રૂપ હોય છે. આખી દુનિયાની સપાટી ઉપર પ્રાચીન પ્રજાએ એકસાથે આમ જ કર્યું છે. જ્યાં ખૂબ જગા અને ખૂબ પથ્થર હોય, ત્યા તેઓએ આખાં વાક્ય એ રીતે લખ્યાં છે – જેમ કે કર્નાકનો રાટ ઢગલો પૂરે એક વાકય છે. માણસોએ એ રીતે આખાં પુસ્તકો જ લખ્યાં હોય છે. જિરંપરાએ એ નિશ્ચિત કરેલાં અમુક પ્રતીકો વધતાં ચાલે છે, તેમ લાખ એકબીજાનો અધવચ છેદ કરતાં ચાલે છે; અને છેવટે વધુ ને વધુ વણિયાં બની રહે છે. એટલે શરૂઆતની ઇમારતો એ બધાને સમાવી તેવી રહેતી નથી. પરિણામે શિલ્પ પણ માનવ વિચારની સાથે સાથે ભાસતું જાય છે. તે સહસ મસ્તક અને સહસ બાહુવાળું બની જાય જુદાં જુદાં સ્થાપત્યો જુદા જુદા અક્ષરરૂપ, પદરૂપ, શબ્દરૂપ છે અને તે બધાં મળી તે યુગની અનોખી કિતાબ રચે છે. આમ શરૂઆતનાં પ્રથમ છ હજાર વર્ષ દરમ્યાન હિંદુસ્તાનના પ્રાચીન રિથી માંડીને કોલોનના દેવળ સુધીનું સ્થાપત્ય માનવજાતના વિરાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy