SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ એ મંદિરનું કોઈ પણ ઊંડાણ એવું ન હતું જ્યાં તે ઊતર્યો હોય; કે એવી કોઈ ઊંચાઈ ને હતી, જ્યાં તે ચડ્યો ન હોય. ઘણી વા મંદિરના આગલી ભીંત ઉપરના ખાંચાઓ કે કોતરકામ ઉપર થઈ ઘરેળીની પેઠે પેટે સરકો તે એક મજલા ઉપરથી બીજા મજલા ઉપર ચડતો દેખાતો. અરે મંદિરના બે રાક્ષસી મિનારા કે જે એટલા ઊંચા હતા કે જેમની ઉપર ઊભતાં જ તમ્મર ચડી જાય, તેમના ઉપર પણ તે કશ ડર વિના કે ખચકાટ વિના ચડી જતો. તેના હાથ-પગના પંજા ની એ મિનારા જાણે તેણે પાળેલા પ્રાણીની પેઠે ઘૂરકતા મટી નમ્ર બની જવા તેના શરીરની પેઠે તેના મનને પણ એ મંદિરે જ ઘાટ અ વળાંક આપ્યા હતા. એનો અંતરાત્મા વિકાસની કઈ ભૂમિકાએ હતા એ તે કોણ કહી શકે? મહા મહેનતે અને ખૂબ ધીરજથી કલૉદ ફૉલોચ તેને બોલતાં શીખવ્યું હતું. પરંતુ એક પ્રકારની ખારીલી નિયતિ જ આણ ફરી વળતી હોય એમ, જયારે કસીમૉદો ચૌદ વરસનો થયો, ત્યાં મંદિરના દાંટ વગાડવા જતાં તેમના ભારે અવાજથી તેના કાનના પડા તૂટી ગયા, અને તે બહેરો બની ગયો. કુદરતે તેની અને બાહ્ય જગત વચ્ચેના સંબંધનું જે એકમાત્ર દ્વાર ખુલ્લું રાખ્યું હતું, તે અચાનવ હંમેશને માટે બંધ થઈ ગયું. એ દ્વાર બંધ થવાની સાથે કસીમૉના અંતર સુધી આને અને પ્રકાશનું જે એકમાત્ર કિરણ પ્રવેશતું હતું તે પણ રોકાઈ ગયો તથા એનું અંતર હવે ગાઢ અંધકારમાં ઘેરાઈ ગયું. એ બિચારાની ગમા ગીની પણ એની વિદ્રપતા જેટલી જ અસાધ્ય અને સંપૂર્ણ બની રહી તે બહેરો બન્યો તેની સાથે બીજાનો હાસ્યાસ્પદ ન બનાય છે માટે તે ચૂપ પણ બની ગયો; - તે એકલો હોય ત્યારે કંઈક ગણગણી લે એટલું જ. વિદ્રપ શરીરમાંના અંતરાત્મા પણ ધીમે ધીમે અપંગ બનતે જા. છે. કસીમૉદો જાણે નહિ તે પ્રમાણે એની અંદર આત્મા પણ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy