SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દેવધર્મી કેણ ભાઈઓને તે શું કર્યું છે, તે તું મને કહે. તેમને કંઈ અપરાધ થયે હેય, તે હું તે દૂર કરી તારી ક્ષમા માગવા ચાહું છું.” પિલો જળવાસી મહીપાલની આ જાતની નમ્રતા તથા સમજદારીથી ખુશ થયે. તેણે જવાબ આપ્યો, કુબેરે આ સરોવર મને ભેટ આપ્યું છે. તેમાં પેસનાર પ્રાણીને ખાઈને જીવવાની મારી આજીવિકા પણ તેમણે જ બાંધી આપી છે. પરંતુ, “દેવધર્મી કેણ છે એ પ્રશ્નને જવાબ મને જે આપે, તેને ખાવાની મને મના છે. અત્યાર સુધી કોઈ મને તેને સંતોષકારક જવાબ આપી શક્યું નથી. તને એ પ્રશ્નનો જવાબ આવડે છે?” હા.” તે તું મને કહે. મને ઘણા દિવસથી તે સાંભળવાની ઈચ્છા છે.” “તે સાંભળઃ “પાપકર્મ કરતાં જેને શરમ અને સંતાપ થાય છે, અને સત્કર્મ કરવામાં જે હસી હોય છે, તેને સંતપુરુષે દેવધર્મી કહે છે.'' - પેલે જળવાસી દેવ આ સાંભળી ઘણો રાજી થે. તેણે મહીપાલને કહ્યું: “દેવધર્મી કેણ કહેવાય એ વસ્તુ તેં બરાબર કહી છે. માત્ર સ્થૂળ પ્રકાશવાળે દેવધર્મી ન કહેવાય, પણ સત્કર્મ કરનારે સાચે દેવધર્મી કહેવાય. હું ખુશી થઈ તને એક વરદાન આપું છું તારા બે ભાઈઓમાંથી ગમે તે એકને તું પાછો માગ; હું તેને જીવતે છેડીશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy