SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વેર અને બદલો સૂર્યકુમારે જવાબ આપેઃ “સૂર્ય અને ચંદ્ર દેવધર્મી કહેવાય.” “ના, રે ના,” એમ કહી, પેલે જળવાસી તેને સરેવરમાં ખેંચી જઈ પિતાના રહેઠાણમાં મૂકી આવે. થડા વખત બાદ સૂર્યકુમારની શોધમાં તેને પગલે પગલે ચંદ્રકુમાર ત્યાં આવ્યા. તે પણ સરોવરમાં હાથપગ જોઈ પાણી પીવા પડે કે તરત પેલા જળવાસીએ તેને પકડ્યો અને પૂછયું: “દેવધમી કેણ કહેવાય, એ તું જાણે છે? ચંદ્રકુમારે કહ્યું: “ચાર દિશાઓ દેવધર્મી કહેવાય.” તને પણ ખબર નથી,” એમ કહી પેલે જળવાસી તેને પિતાના રહેઠાણમાં ઊંડે ખેંચી ગયે. પિતાના બંને ભાઈઓને ગયે ઘણી વાર થઈ એમ જાણી, ચિંતા કરતો મહીપાલ તેમને પગલે પગલે સરોવર પાસે આવ્યો. ભાઈઓનાં પગલાં તેણે સરોવરના પાણી તરફ જતાં જયાં, પણ બહાર નીકળતાં જયાં નહીં. એટલે સરેવરમાં કશુંક જોખમ છે એમ માની, તે અંદર ઊતર્યો નહીં, પણ બહાર રહી તપાસ કરવા લાગે. તેને અંદર ન આવતે જોઈ, પેલા જળવાસીએ તેને સરેવરનું ઠંડું પાણી પી, હાથ-મે જોઈ, થાક ઉતારવા લલચાવે. આ સાંભળી મહીપાલ સમજી ગયો કે સરોવરમાંથી બેલતા આ જળવાસી દેવે જ પિતાના બંને ભાઈઓનું કંઈક કર્યું છે. તેણે તેને કહ્યું, “તું દેવ છે, યક્ષ હે, કે રાક્ષસ હેતને હું પ્રણામ કરું છું. મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy