________________
વિમહ૧
આર્ય પુરૂએ સમભાવે કહેલે ધર્મ સાંભળીને અને સમજીને બેધ પામેલા કેટલાક બુદ્ધિમાન પુરુષો વચલી વયમાં જ સંયમધર્મને સ્વીકાર કરે છે. કશાની આકાંક્ષા વિનાના તે સંયમીઓ નથી કોઈની હિંસા કરતા, નથી કશે પરિગ્રહ રાખતા કે નથી બીજું કાંઈ પાપકર્મ કરતા. તેઓ જ સાચા અગ્રંથ છે. [૨૦૭
બુદ્ધિમાન ભિક્ષુએ જ્ઞાનીઓ પાસેથી પ્રાણુઓને જન્મ અને મરણની સમજ મેળવીને સંયમમાં તત્પર થવું. શરીર આહારથી વધે છે અને દુઃખથી ભાગી જાય છે. વૃદ્ધાવસ્થામાં ઈદ્રિ નબળી પડી જવાથી કેટલાય લેકે સંયમધર્મના પાલન માટે અસમર્થ થઈ જાય છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ વેળાસર જાગ્રત થઈ દુઃખ પડવા છતાં સતત ઉદ્યમવંત અને આકાંક્ષા વિનાના બની સંયભુખ થવું અને દયાધર્મનું પાલન કરવું. જે ભિક્ષુ કર્મોને નાશ કરનાર શારૂપી સંયમને બરાબર સમજે છે અને પાળે છે, તે જ કાલા, બલા, માત્રાશ, ક્ષણા, વિનયજ્ઞ અને સમયજ્ઞ છે. [૨૦૮-૯
કેટલાય લેકેને આચારની કશી સમજ નથી હોતી. હિંસાથી નિવૃત્ત ન થયેલા તેઓને, પ્રાણેને હણવા–હણવવામાં કે ચોરી વગેરે કરવા-કરાવવામાં કાંઈ અજુગતું નથી લાગતું. તેઓની માન્યતાઓ પણ જુદી જુદી હોય છે. કેટલાક કહે છે, લેક છે; કેટલાક કહે છે, “લક નથી. કેટલાક લેકને ધ્રુવ કહે છે, તે
૧. મેહમાંથી મુક્તિ, મેહમુક્ત પુરુષ અથવા વિમેહ પુરુષને આચાર.
૨ ટીકાકાર તેને – મોક્ષને અર્થે કરવાનાં અનુષ્કાને” – એટલે જયમધર્મ', એવો અર્થ લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org