________________
૧૬
વિમુક્તિ સર્વોત્તમ એવો જ્ઞાની પુરુષને આ ઉપદેશ સાંભળીને માણસે વિચારવું જોઈએ કે, ચારે ગતિમાં પ્રાણી અનિત્ય શરીરને જ પામે છે. એમ વિચારી, ડાહ્યો પુરુષ ઘરનું બંધન છોડી દઈ, દેવયુક્ત પ્રવૃત્તિઓ અને (તેમના કારણરૂ૫) આસક્તિને નિર્ભયપણે ત્યાગ કરે. [૧]
તે પ્રકારે, ઘરબારની આસક્તિન, તથા અનંત જીવોની હિંસાને ત્યાગ કરી, સર્વોત્તમ એવી ભિક્ષાચર્યાથી વિચરતા વિદ્વાન ભિક્ષને, મિશ્રાદષ્ટિ લો કે, સંગ્રામમાં હાથીને બાણેથી વધે, તેમ કડવાં વચનેથી વધે છે, તથા બીજા ઉપદ્રવ કરે છે. તે પ્રકારે કઠેર શબ્દ અને ઉપદ્રથી પીડાવા છતાં, તે જ્ઞાની, મનને કલુષિત થવા દીધા વિના તે બધું સહન કરે, અને ગમે તેવા પવનમાં અકંપ રહેતા પર્વતની પેઠે અડગ રહે. [૨-૩].
ભિક્ષ સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષની સબતમાં રહે, અને અનેક પ્રકારનાં દુઃખાથી દુ:ખી એવાં સ્થાવર, જંગમ પ્રાણીઓને પોતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપે. એ પ્રમાણે કરનારે તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનાર મહા મુનિ ઉત્તમ શ્રમણ કહેવાય છે. [૪]
ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણારહિત, ધ્યાન અને સમાધિથી યુક્ત, તથા અગ્નિની વાળી જેવા તેજસ્વી –એવા તે વિદ્વાન ભિક્ષનાં તપ, પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે. ]
૧. આ છેલ્લું અધ્યયન થી ચૂડા કહેવાય છે. २. भार भ, परिग्रह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org