________________
મહાવીરસ્વામીને આચારધર્મ
ટિણ નં. ૫ હોર્નેલના અભિપ્રાય મુજબ, લિચ્છવીઓની રાજધાની વૈશાલીમાં, તે વખતે વૈશાલી (અત્યારનું મુજફફર જિલ્લામાં આવેલું બસા૨) ઉપરાંત, વાણિજ્યગ્રામ અને કુંડગ્રામ જેવાં બીજા કેટલાંક મોટાં સ્થાનેને (લંનિઘેરા) સમાવેશ થતો હતો. એમ કહી શકાય કે, વૈશાલી, વાણિજ્યગ્રામ અને કુંડગામ અથવા (કંડપુ૨) એ ત્રણ મળીને જે મેટું શહેર થતું, તે આખાને પ્રસંગઅનુસાર તે તે નામથી ઓળખવામાં આવતું. ખરી રીતે, દક્ષિણપૂર્વને ભાગ તે વૈશાલી, ઉત્તરપૂર્વને ભાગ તે કુડપુર, અને પશ્ચિમ તરફને ભાગ તે વાણિજ્યગ્રામ. વૈશાલી અને વાણિજ્યગ્રામ વચ્ચે ગંડકી નદી હતી એમ આવશયકસૂત્રમાં જણાવ્યું છે. કુંડગ્રામના નામથી વૈશાલીને મહાવીરના જન્મસ્થળ તરીકે ઓળખાવી, તેમને વૈશાલિક પણ કહેવામાં આવે છે. તે કંડપુર, એટલે કે, આખા વૈશાલીના ઈશાન ખૂણામાં લાગી સંનિવેશ આવેલું હતું. અહીં નિવેશને અર્થ વિભાગ અથવા પરું લે જોઈએ. તે કોલ્લાગ વિભાગમાં જ્ઞાતૃવંશી ક્ષત્રિય રહેતા હતા.
મહાવીરના પિતા સિદ્ધાર્થ કેલ્લાગના નાચ ( જ્ઞાત) વંશી ક્ષત્રિના આગેવાન હશે. જૈનગ્રંથમાં તેમના વૈભવનું અતિશયોક્તિભર્યું વર્ણન કરવામાં આવે છે; છતાં ક્યાંય તેમને કુડપુરના રાજા તરીકે નથી ઓળખાવ્યા. ઊલટું, તેમને ઉલ્લેખ હંમેશાં “ક્ષત્રિય સિદ્ધાર્થ” એ જ કરવામાં આવ્યો છે.
ટિપ્પણુ નં. ૬ઃ દેવામાં એ જન્મ કઈ વિરતિ પામી શકતું નથી; પરિણામે, મહાવીરને તે ઉપદેશ ખાલી ગયા; કારણ કે, તેમાંથી કોઈ એ પ્રતિબોધ પામી વ્રત અંગીકાર કર્યા નહિ. તીર્થકરને ઉપદેશ ખાલી ચ, એ એક આર્ય ગણાય છે. આ અવસર્પિણમાં એવાં દશ આશ્ચર્યો બન્યાં છે. તેમાંનાં મહાવીરના જીવનને લગતાં બીજાં આશ્ચર્ય આ છે: કેવલજ્ઞાન થયા પછી કેવલીને ઉપસર્ગ-સંકટ-હોચ નહિ, પણ મહાવીરને મારવા ગશાલે તેજલેશ્યાને પ્રયોગ કર્યો હત; ઈ તીર્થંકરને ગર્ભ બદલવા પડયા નથી, પણ મહાવીરને બદલવો પડયો હત; સૂર્યચંદ્ર પિતાનાં મૂળ વિમાને સાથે મહાવીરને કૌશાંબીમાં વંદન કરવા આવ્યા હતા અને મહાવીરના સરણના પ્રભાવથી ભુવનપતિ દેવોમાને ચમરેક પણ સાધમ દેવેદ્રને નાશ કરવા ઉપલા દેવલોકમાં જઈ શક્યો હતો, અને હાર્યા છતાં જીવતો રહી શક્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org