SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણે ટિWણ નં. ૧ઃ જેને જ્ઞાનના પાંચ પ્રકાર માને છે: મતિ, કૃતિ, અવધિ, મન:પર્યવ અને કેવલ. તેમાંનાં પહેલાં બે પક્ષ છે; કારણ કે, તે જ્ઞાન થવામાં પાંચ જ્ઞાનેન્દ્રિયે અને મનની મદદની જરૂર રહે છે, ત્યારે છેલ્લાં ત્રણ ઈદ્રિય-મનની મદદ વના જ, આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થતાં હોવાથી, પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન એટલે પાંચ ઇન્દ્રિયો અને મન વડે થતું જ્ઞાન. શ્રતજ્ઞાન એટલે શાસ્ત્ર વગેરે સાંભળવાથી થતું જ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ફેર એટલો છે કે, મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે, અને મુતજ્ઞાન વૈકાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. અવધિજ્ઞાન એટલે ઇકિયે અને મનની મદદ વિના જ આત્માની યોગ્યતાના બળથી થતું, સમગ્ર લોક સુધીનાં બધાં રૂપી મૂર્તિ દ્રવ્યનું જ્ઞાન. અલબત્ત, આ જ્ઞાન વસ્તુના સમગ્ર ભાવો નથી જ જાણી શકતું. મન:પર્યવજ્ઞાન એટલે સંજ્ઞી, ચિંદ્રિય, પર્યાપ્ત, અને વ્યક્ત મનવાળાં પ્રાણીઓનાં માનસિક ચિંતનેનું જ્ઞાન. અવધિજ્ઞાન આખા લોક સુધીનાં સર્વ પુદુગદ્રવ્યનું ગ્રહણ કરી શકે છે; પણ મન:પર્યવજ્ઞાન મનરૂપ બનેલાં પુદ્ગલ અને તે પણ માનુષત્તર પર્વત અને મનુષ્યક્ષેત્રની અંદરનાં – જાણુ શકે છે. વામ એને વિષય અવધિજ્ઞાન કરતાં અત્યંત અલ્પ છે, પણ પિતાના વિષચની સૂક્ષ્મતાએ તે વિશેષ પ્રમાણમાં જાણતું હોવાથી, તેના કરતાં વિશુદ્ધતર છે. તેનાં કેટલાંક વિશેષણની વિશેષ સમજતી નીચે પ્રમાણે છે: હિતપ્રાપ્તિ અને અહિત પરિહાર માટે ગુણદેવની વિચારણા તે સંજ્ઞા તેવી વિચારણા કરી શકે તેવું પુષ્ટ (ભૌતિક, દ્રવ્ય મન, તે વ્યક્ત મન”. આ વિશેષણ આપવાનું કારણ એ છે કે, દરેક ઇદ્રિય ભાવ અને દ્રવ્ય, એમ બે રૂપે હોય છે. ભાવઈદ્રિય એટલે તે પ્રકારની આત્માની શક્તિ અને દ્રવ્યઇકિય એટલે એ શક્તિ જેને આધારે કામ કરી શકે, એવી પરમાણુની બનેલી વસ્તુ પર્યાપ્ત એટલે કે આહાર, શરીર, ઇદ્રિય, પ્રાણાપાન, ભાષા અને મન એ છ પર્યાપ્તિઓમાંથી પોતાની નિ અનુસાર બધી પર્યાપ્તિઓ જેણે પ્રાપ્ત કરી હોય તેવું કેવળજ્ઞાન એ સર્વ વસ્તુઓ અને સર્વ ભાવોનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. ઉપરનાં ચારે જ્ઞાને ગમે તેટલાં શુદ્ધ હેય, છતાં ચેતના-શક્તિને પૂર્ણ વિકાસરૂપ હોવાથી, એક પણ વસ્તુના સમગ્ર ભાવોને જાણવાને અસમર્થ હોય છે. એવો નિયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy