SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. મુકામ ૧૨૭ ૪. હું બીજા માટે મુકામ માગીશ નહીં, પણ બીજાએ માગેલામાં રહીશ, એ ચોથી પ્રતિજ્ઞા [૨/૧૧] ૫. હું એકલા મારે માટે મુકામ માગીશ, બીજા બે ત્રણ કે ચાર પાંચ માટે નહીં માગું, એ પાંચમી પ્રતિજ્ઞા. [૨/૧૨] ૬. જેને મકાને હું મુકામ સ્વીકારીશ, ત્યાંથી જ તૃણ વગેરેનું પાથરણું આપોઆપ મળે તે સ્વીકારીશ, નહીં તે ઉભડક કે પલાંઠી વાળીને બેસીને જ રાત કાઠીશ, એ છઠ્ઠી પ્રતિજ્ઞા. [૨/૧૩ ૭. જેને મકાને ઉતારે કર્યો હશે, તેને ત્યાં પથ્થર કે લાકડાની છાટ જેવું કાંઈ તૈયાર મળી આવશે, તે તેના ઉપર સૂઈશ, નહીં તે ઉભડક કે પલાંઠી વાળીને જ રાત કાઠીશ, એ સાતમી પ્રતિજ્ઞા. [૨/૧૪ આ સાતમાંથી કોઈ એક નિયમ લેનારે બીજાની અવગણના ન કરવી વગેરે, પા. ૧ મુજબ.] ભિક્ષુ અથવા ભિક્ષુણીના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પા. ૬૮ મુજબ.] ૧. જુએ પા. ૧૧૦, ૩ /૧૮માં. ૨. આ ફકરા પછી મૂળમાં નીચેને ફકરે છે: “ભગવાને એવું કહેલું કે સાંભળ્યું છે કે, સ્થવિર ભગવતએ પાંચ પ્રકારના અવગ્રહ (એટલે કે, માલકી હક) ગણાવ્યા છે. (૧) લોકમધ્યવર્તી રૂચકદક્ષિણાધી એ દેવેન્દ્રને અવગ્રહ ગણાય છે. (૨) ભરત વગેરે ક્ષેત્ર તે ચક્રવર્તી રાજાને અવગ્રહ ગણાય છે. (૩) ગામ, વૃક્ષ, ઉદ્યાન, ગિરિ, કંદરા, દેવમંદિર, પરબ વગેરે ગૃહપતિને (તે સ્થળના માંડલિકજાગીરદારને) અવગ્રહ ગણાય. (૪) જેને ઘેર ઉતારે કર્યો હોય, તે ગૃહસ્થનું ઘર વગેરે તે ગૃહસ્થ (સાગારિકોને અવગ્રહ ગણાય. (૫) અને જે જગાએ સમાનધર્મ સાધુ વગેરે મહિને માસ ઉતારો કરી રહ્યા છે, તે (સવા કેસ સુધીની) જગા વગેરે તે સાધમિકને અવગ્રહ કહેવાય.” એમ કઈ પણ સ્થળે ઉતારે કરતા પહેલાં ત્યાં આ પાંચ જણને માલકી હક પહોંચતું હોઈ, તેમની પરવાનગીની સાધુને અપેક્ષા રહે છે. [૨/૧૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy