________________
પરમ મંગલ ૨. દ્રવ્યથી ખરી પણ ભાવથી નહીં: જેમ કે, સાવધાનતાપૂર્વક જોઈતપાસીને પગ મૂકવા છતાં કોઈ જીવ કચરાઈ જાય તો તે દ્રવ્યથી હિંસા થઈ કહેવાય, પરંતુ ભાવથી ન કહેવાય.
૩. ભાવથી પણ દ્રવ્યથી નહીં: અંધારામાં દેરડાને સર્ષ માની, તેને મારવાની ઇચ્છાથી તરવાર ચલાવે, તો વસ્તુતાએ કઈ જીવ કપાયે નથી, છતાં કાપનારના મનમાં તે
જીવને કાપવાને જ ખ્યાલ હતો, તેથી તે ભાવથી હિંસા થઈ કહેવાય, દ્રવ્યથી નહીં.
૪. દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં: હિંસાને એ પ્રકાર શૂન્ય છે. તે તો અહિંસા જ થઈ
૧. તેવી હિંસાની બાબતમાં કહ્યું છે કે : न च तस्थ तत्रिमितो बन्धः सूक्ष्मोऽपि देशितः समये ।
यस्मात् सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा । કઈ સાધુ પુરુષ ઈ–તપાસીને પ્રવૃત્તિ કરે, છતાં અજાણતાં તેનાથી જીવહિંસા થઈ જાય, તે તે કારણે તેને સૂમ બંધન પણ પ્રાપ્ત નથી; કારણ કે તે પુરુષ પ્રમાદરહિત છે; અને શાસ્ત્રમાં પ્રમાદને હિસા કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org