SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १२ કે, આ ચૂડાઓના વિષયતા મૂળ (દશવૈકાલિક) ગ્રંથમાં સંગ્રહ થઈ જ ગયા છે. એટલે આ ચૂડાએ તે તે ગ્રંથમાં કહેવા—ન કહેલા વિષયના સક્ષિપ્ત સારરૂપ છે.” (ગા. ૩૫૯). એટલે આ ચૂડાઓને લગતી દંતકથાને કેટલું મહત્ત્વ આપવું તે વિચારવા જેવું છે. * ઉપર આપણે જોઈ આવ્યા તે પ્રમાણે આ ગ્રંથ મહાવીર પછી માત્ર ૯૮ વર્ષે દેહત્યાગ કરનારા જૈન સ`ધના વડા આચાયૅ અસાધારણુ સંજોગામાં પ્રાચીન શાસ્ત્રોમાંથી તારવેલા છે. એટલે આ ગ્રંથમાં આપણુને મહાવીર પછીના તરતના જમાનામાં જૈન ધર્મ અને આચારનું પ્રચલિત સ્વરૂપ કેવું હતું કે કેવું મનાતું હતું તે જોવા મળે છે. નિર્યુક્તિકારે આ સૂત્રનું નામ દશવૈકાલિક' પડવાનું જે કારણુ આપ્યું છે, તે આપણે જોઈ આવ્યા. પરંતુ તે વિશે કાંઈક વિશેષ વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ભદ્રબાહુ પેાતાની નિયુક્તિમાં આ સૂત્રનું નામ છ વખત દશકાલિક આપે છે અને એ વખત દશવૈકાલિક' આપે છે, તેમાંય, જ્યાં તેમણે આ સૂત્રના નામને અર્થ કરવાના પ્રયત્ન કર્યાં છે, ત્યાં તે દૃશકાલિક” નામ જ આપ્યું છે. છતાં તેના અર્થ તે ૧ ૧. આ ચર્ચા ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટી' પુ. ૧૪, પા. ૪૩૨માં આવેલા શ્રી ધાઢવેના લેખમાંથી લીધી છે. ૨. ગાથા ૧, ૭, ૧૨, ૧૪, ૨૫. (પ્રો. અયંકરની આવૃત્તિ. નીચેની નાંદ્યામાં પણ તે જ આપિત્ત ગણવી.) ૩. ગાથા ૬, ૩૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy