SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સમીસાંજને ઉપદેશ નિક્તિમાં ભિક્ષુનાં “લિગે એટલે કે લક્ષણે નીચે પ્રમાણે જણાવ્યાં છે: “સંગ: એટલે કે મેક્ષસુખની અભિલાષા; નિર્વાદ: એટલે કે સંસારવિષયક અણગમે; “વિષયવિવેક”; “સુશીલસંસર્ગ (સત્સમાગમ); “આરાધના', એટલે કે મેક્ષમાર્ગનું સેવન (અથવા અંતકાળે અનાદિને ત્યાગ કરવો તે), તપ, જ્ઞાન, દર્શન (શ્રદ્ધા, ચારિત્ર, વિનય, ક્ષતિ, માર્દવ, જતા, વિમુક્તતા (અનાસકિત), અદીનતા, તિતિક્ષા અને આવશ્યક પરિશુદ્ધિ (આવશ્ય કરવાનાં કર્તવ્ય પરિપૂર્ણ રીતે કરવાં તે). [૩૪૮૯ ઉપસંહાર કરતાં ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું છે કે: जो भिक्खू गुणरहिओ भिक्खं गिण्हइ न होइ सो भिक्खू । वण्णण जुत्तिसुवण्णगं व असई गुणनिहिम्मि ।। ३५६ ॥ જે ભિક્ષ ચિત્તસમાધિ વગેરે ભિક્ષગુણ વિનાને છે, તે માત્ર ભિક્ષા ખાવાથી ભિક્ષુ થઈ શકતો નથી. જેમ બનાવટી સેનું સોનાને રંગ માત્ર ધારણ કરવાથી તેના બીજા ગુણો વિના સેનું થઈ શકતું નથી તેમ * ૩૫૧મી ગાથામાં સેનાના ગુણે નીચે પ્રમાણે જણાવ્યા છે? વિષને ઘાત કરવાને સમર્થન, રસાયણરૂપ, માંગલિક, વાળી શકાય તેવું, સારયુક્ત, અગ્નિથી ન બને તેવું, અને કદાચ નહીં તેવું. આ ઉપરાંત “તપાવે ત્યારે જમણી તરફ વળતું, (afક્ષTrad') એવું વિશેષણ પણ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy