SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ત્રણ રત્ના કેમકે, તે બધાં જડ પુદ્ગલ દ્રવ્યનાં પરિણામે છે. એ બધા ભાવા વ્યવહારષ્ટિથી જીવના કહેવામાં આવે છે.... એ બધા ભાવે। જીવથી જુદા છે. સંસારપ્રમુક્ત જીવાને એ કશું નથી હોતું. સંસારી અવસ્થામાં પણ એ વર્ણાદિ વ્યવહારદષ્ટિએ જીવના છે; વાસ્તવિક નથી. તે અવસ્થામાં પણ જો તે વાસ્તવિક જ જીવના હાય, તે સંસારસ્થ જીવ અને જડ પુદ્ગલ દ્રવ્ય એ બે વચ્ચે ભેદ જ ન રહે.” [સ.૪૪-૬૮] 0 તે આ રીતે કુ ંદકુંદાચાય સીધી સાંખ્યદર્શનની કે વેદાંત દર્શનની સ્થિતિ સ્વીકારે છે. સાંખ્યદર્શન એ બધા વિભાવા પ્રકૃતિના માને છે; અને વેદાંત તેમને અંતઃકરણ કે ચિત્તના કહે છે. પરંતુ આત્માને વાસ્તવિક જ એ બધા વિભાવે નથી થતા એ માન્યતામાં કુંદકુંદાચાર્ય તેમની સાથે જ જઈને ઊભા રહે છે. તે પછી સવાલ એ રહ્યો કે, વને જૈન દર્શનમાં કર્તા કહેવામાં આવે છે તેનું શું? કુંદકુંદાચા તેને જે સ્પષ્ટ જવાબ આપે છે, બરાબર સાંખ્યવાદી કે વેદાંતવાદીને જ શાભે. તે કહે છે : જ્યાં સુધી અજ્ઞાની જીવ આત્મા અને ક્રાદિ આસ્રવ એ એવચ્ચેને! તફાવત જાણતા નથી, ત્યાં સુધી તે ક્રાદિને પેાતાના માની તેમાં પ્રવર્તે છે; અને તેને કારણે કર્મીને સંચય થાય છે. સર્વજ્ઞાએ જીવને કર્મીને બુધ એ પ્રકારે કહ્યો છે. પરંતુ જીવને જ્યારે આત્મા અને આસ્રવે વચ્ચેને ભેદ જણાય છે, ત્યારે તેને અધ નથી થતા. કારણ કે, જીવ જ્યારે આસ્રવેનું અશુચિપણું, જડપણું ઇત્યાદિ જાણે છે, ત્યારે 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy