________________
૧૮૯
યોગશાસ્ત્ર વસ્ત્ર, સફેદ માળા, સફેદ લેપન અને રક્તવણની શક્તિ સહિત બેઠા છે એમ ચિંતવવું.૧ [૧૪]
તિર્ધાન આ પ્રમાણે છે: મૂલાધાર આગળ કુંડલિની શક્તિ સાપના આકારની પડેલી છે. ત્યાં દીવાની જ્યોત જે જીવાત્મા છે. એ તનું તેજોમય બ્રહ્મરૂપે ધ્યાન કરવું. [૧૬] અથવા બે ભમરની વચ્ચે વાલાયુક્ત ૐ રૂપી તેજ છે, તેનું ધ્યાન કરવું. [1]
. સૂક્ષ્મયાન આ પ્રમાણે છે : જ્યારે બહુ ભાગ્યવશાત સૂતેલી કુંડલી જાગ્રત, થાય, ત્યારે તે આત્માને સાથે લઈ નેત્રદ્વારમાંથી બહાર નીકળી, બહારના રાજમાર્ગમાં વિહરે છે. પરંતુ તે ચંચળ હોવાથી દેખાતી નથી. તેને શાંભવી મુદ્રા (બે ભમર વચ્ચે દૃષ્ટિ સ્થિર કરી “આત્મારામ નું ધ્યાન કરવું તે) રૂપ ધ્યાનયોગથી યેગી જઈ શકે છે. તે સૂક્ષ્મધ્યાન કહેવાય. [૧૮-૨૦]
શિવસંહિતા ૫-૫૬ ઈ. માં મૂલાધાર વગેરે ચક્રોનું બીજમંત્ર સહિત ધ્યાન કરવાનું કહ્યું છે. જેમકે ગુદાથી બે આંગળ ઉપર અને લિંગથી બે આંગળ નીચે, ચાર પાંખડીવાળું મૂલાધાર પદ્મ છે. તેને વ,,, અને સ, એ ચાર વર્ણવાળી ચાર પાંખડીઓ છે. તે પદ્મનું ધ્યાન કરવાથી દાદુરી સિદ્ધિ, સર્વજ્ઞતા, ન જાણેલાં શાસ્ત્રનું પણ જ્ઞાન, ઈશ્વરદર્શન વગેરે બળે પ્રાપ્ત થાય છે. [૫૬-૭૪ ]
બીજું સ્વાધિષ્ઠાન ચક્ર લિંગના મૂળમાં છે. તે છ પાંખડીવાળું છે; અને તેમાં ૩ થી ૪ સુધીના છ વર્ણો છે, એને વર્ણ લાલ છે. તેનું ધ્યાન કરનારને પણ શાસ્ત્રજ્ઞાન, રોગમુક્તિ, તથા અણિમાદિ સિદ્ધિ વગેરે પ્રાપ્ત થાય છે. [ ૫-૮]
૧. યોગસૂત્ર ૧-૩૭ માં પણ વિતરાગ પુરુષને દયેચ તરીકે લેવાનું વિધાન છે.
૨. ગુદા અને લિંગ આગળની ગા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org