SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પી થી થઈ ગઈ અનુરાગ મુજબ છે માટે આવેલા એ ચિગશાસ્ત્ર મેં આગળ ઉપવાસ કરી સ્થિર થઈને રહીશ. બીજાએ મહા ઝેરી નાગના દરના મેં આગળ તેવી રીતે ચાર માસ રહેવાને નિયમ લીધે. ત્રીજાએ કૂવાના ભારવટ ઉપર ચાર મહિના ઊભા રહેવાને નિયમ લીધે. ત્યારે સ્થૂલભદ્ર એવો નિયમ લીધે કે, કેશા ગણિકાની જે ચિત્રશાળા છે, કે જેમાં કામશાસ્ત્ર વિષયક ઉદ્દીપક ચિત્રો ચારે તરફ ચીતરેલાં છે, તેમાં છ રસવાળાં ભેજન ખાઈને ચારે માસ રહીશ. એ પ્રમાણે નિયમ લઈ મુનિઓ ચાલ્યા ગયા. કેશાને સ્થૂલભદ્ર ઉપર હાર્દિક અનુરાગ હતો; અને તેના ચાલ્યા જવાથી તે દુ:ખપૂર્ણ થઈ ગઈ હતી. તે સ્થૂલભદ્રને આ વેશે આવેલ જોઈ દુઃખી થઈ, પરંતુ તેને પિતાને ત્યાં ઘેડા વખત માટે આવેલ જોઈ હર્ષિત પણ થઈ. તેણે તેના કહ્યા. મુજબ પિતાની ચિત્રશાળામાં તેને ઉતારે કરી આપ્યું. તે હંમેશાં તેને પડ રસવાળાં ઉત્તમ ભોજન કરાવતી, અને પિતાનાં ઉત્તમોત્તમ વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈને તેની પાસે બેસતી; પરંતુ સ્થૂલભદ્ર જરા પણ લેભ પામ્યા વિના પિતાના ધ્યાનમાં લીન રહે. કેશાને ધીમે ધીમે તેના ઈદ્રિયજયની ખાતરી થતાં તેના તરફ ભક્તિભાવ ઉત્પન્ન થયે, અને પિતાના દુરાચારી જીવનને અનુત્પપ પણ થયું. રાજાના હુકમથી કઈ પુરુષને પરણવું પડે, તે તે સિવાય બીજા કેઈ પુરુષ સાથે શરીરસંબંધ ત્યાગવાને તેણે તે વખતે જ નિયમ લી. ત્યારબાદ અતિ ભક્તિપૂર્વક ચારે માસ તેણે સ્થૂલભદ્રની શુશ્રુષા કરી. ચાતુર્માસ. પૂરે થતાં બધા મુનિઓ ગુરુ પાસે પાછા આવ્યા. ગુરુએ તે દરેકનું ગ્ય શબ્દોમાં અભિવાદન કર્યું, પરંતુ સ્થૂલભદ્રને દેખીને તે ઊભા થઈ તેને “દુષ્કરથી પણ દુષ્કરને કરનાર,” તથા “મહાત્મન' કહીને તેને ૧૯ મૂળ, “વિષાહિ. તેની નજર પડવા માત્રથી ઝેર ચડી જાય છે; અથવા તે સાપ સામા માણસની આંખમાં ઝેર ફૂંકે છે; જેથી અસહ્ય દાહ ઉત્પન થતાં તે ભાગને વરવાથી તે ઝેર તે માણસના શરીરમાં દાખલ થઈ છે. તેનો પ્રાણ લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy